SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ પરિચ્છેદ. ( 81 ) દેશની અસર ધનવાહનના સરળ હૃદય ઉપર થવા લાગી. એક દિવસ તેણે પોતે જ કહ્યું. ભગવાન ! આપની અમૃતમયી વાણી સાંભળી સદાને માટે આપના ચરણમા રહું, આપની આજ્ઞાને અનુસરું અને પાંચ મહાવ્રત પાસું એ ઉલ્લાસ પ્રગટે છે. પણ ઘણાં જુના કાળને મેહ રૂંવે રૂંવે વ્યાપેલા વિષની જેમ મારાથી દૂર જઈ શકતો નથી. મને બીજું કઈ જ નહીં, પણ મારી સ્ત્રી અનંગવતી સાથે દીક્ષા આપે અને માત્ર આઘેથી જોઈ હોવા પૂરતી જ છૂટ = આપો તે આ સંસારનાં બધા બંધને તોડી નાખવા તૈયાર છું. સ્ત્રીના મેહ કે દુરંત હોય છે? મેહ દુર્ગતિમાં પછાડે છે એમ સમજ્યા છતાં સુજ્ઞ માણસ પણ મેહના સામર્થ્ય પાસે _ કેટલે લાચાર બની જાય છે. ધનવાહન સંસારના સઘળાં સુખ વિલાસ તજવા તૈયાર હતે, માત્ર અનંગવતીના દર્શનની ઉત્કંઠા અલગ કરી શકશે નહીં. સૂરીશ્વરે વિચાર કર્યો કે ધીમે ધીમે મહિના આ પ્રબળ તરંગો પણ શમી જશે અને દીક્ષા લીધા પછી સૂત્રાર્થમાં નિપુણતા પ્રાપ્ત કરીને પિતે જ રાગદશાને તિલાંજલી આપશે. આ વિચાર કરી સૂરીશ્વરે અનંગવતી અને ધનવાહનને વિધિપૂર્વક દીક્ષા આપી. અનંગવતી ચંદ્રયશા નામે મહત્તરિકા * પાસે રહી સાધ્વીની ક્રિયાઓ કરવા લાગી અને ધનવાહન મુનિ ગુરૂચરણમાં રહી સૂત્રાથને અભ્યાસ કરવા લાગ્યા. એ રીતે કેટલાક દિવસો નીકળી ગયા. અભ્યાસ અને અનુભવને અંતે ધનવાહન મુનિને લાગ્યું કે દીક્ષાવ્રત લીધા પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy