SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ A. ચતુર્થ પરિચ્છેદ. " ( 35 ) કન્યા વચન પ્રમાણે ન આપે તે મોટી ખુવારી થયા વિના ન રહે. કન્યા પિતે, કન્યાની માતા અને કન્યાનું હૃદય સમજનારી બધી સખીઓ એક તરફ છે અને એનો પિતા-અમિતગતિ બીજી તરફ છે. આવા પ્રસંગે પુરૂષનું જ ધાર્યું થાય છે એ કેણ નથી જાણતું ?" સોમલતાએ સંકટની રૂપરેખા દર્શાવી. - અમિતગત જેવા પિતાઓ તરફ મને ધિક્કાર છૂટ. વિદ્યાધરને ચક્રવતી બનવાનો હોય તેને પોતાની કન્યા આપવાને પિતામાત્રને લેભ થાય એ સ્વાભાવિક છે; પણ નવાહન જ ચક્રવત્તી થશે અને બીજે કઈ નહીં થાય એમ કેઈએ શા સારૂ માની લેવું જોઈએ? અને લગ્નગાંઠમાં શું નેહ-પ્રીતિ કે અંતરના આકર્ષણને કંઈ જ સ્થાન નથી ? હારનો વૈભવ, સત્તા કે અધિકાર એ જ શું સર્વસ્વ છે? આ પ્રકારના વિચારે મારા મનને મુંઝવી રહ્યા. હું નિરૂપાય હતે. લગ્નની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. છેડે પણ સમય મળી શકે છે તે આ આફતમાંથી બચવાને કઈ પણ માર્ગ શોધી લેત. કનકમાળા ને હું : એક ક્ષણને માટે મળ્યાં હોત તે પણ માર્ગ મળી આવત; પરંતુ ભાગ્યના બધા બારીબારણાં બંધ થઈ ગયાં હોય અને ક્રૂર દેવ અમારી દુર્દશા ઉપર ઉભું ઉભું હસતું હોય એમ | મને લાગ્યું. આ બધો વખત કનકમાળા પિતે શું કરતી હતી તે જાણવાની ઈચ્છા થઈ; પણ મારી જીભ ન ઉપી. સોમલતા પણ વાર રેકાઈ ચાલી ગઈ. તે પછી મને જે સંવાદ મળતા રહ્યા તે પરથી મારી શંકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy