SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ( 298) સતી સુરસુંદરી. સજજનેની પ્રતિજ્ઞા. अद्यापि नोज्झति हरः किल कालकूट, कूर्मो बिभर्ति धरणी किल पृष्ठभागे। अम्भोनिधिर्वहति दुवंहवाडवाग्नि मङ्गीकृतं सुकृतिनः परिपालयन्ति / / સમુદ્રમંથન કરતાં એની અંદરથી કાલફટ વિષ નીકળ્યું, શંકરે એને સ્વીકાર કર્યો અને હજી પણ એ વિષને રાખી રહ્યા છે. કાચબાએ પોતાની પીઠ ઉપર પૃથ્વીને ભાર ગ્રહણ કર્યો અને હજી પણ એ અસહ્ય ભાર કાચબ સહે છે. સમુદ્ર વડવાગ્નિને પિતાના અંતરમાં સ્થાન આપ્યું અને હજી પણ એને જાળવે છે. ખરેખર, સજજનો જે પ્રતિજ્ઞા કરે છે–જેને હાથ પકડે છે આ તેને છેવટની ઘડી સુધી પાળે છે. (aa થવાનું હોય તે થાય છે જ. भवितव्यं भवत्येव नालीकेरफलाम्बुवत् / गन्तव्यं गमयत्येव गजभुक्तकपित्थवत् / આમ ન જ બને” એમ આપણે ભલે માનીએ પણ જે થવાનું હોય તે અવશ્ય થાય છે. નાળીએરની અંદરથી મીઠું પાણી નીકળે છે એ વાત સૌ જાણે છે, પણ એ પાણી કયારે નાળીએરની અંદર પહોંચે છે એ કઈ નથી જાણી શકતું. આપણે ન જાણીએ તો પણ બની જ જાય છે. હાથી આખું કઠું ગળી જાય છે, પણ જ્યારે કે હું બહાર નીકળે છે ત્યારે એની આકૃતિ માત્ર જ રહે છે, અંદરને ભાગ ગળી થાય છે. એટલે કે જે થવાનું હોય તે લાખ વાતે થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy