SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ડશ પરિચ્છેદ. ( 271 ) જલવેગને પોતાના પક્ષમાં આ એક માણસ છે તે આનંદ થયે. તેણે કહ્યું -" પણ વેરને બદલે લેવો એ તે વાત નથી. તેજદાર અને ધારદાર ખગવાળા –નેક વિદ્યાધરે તારા પિતાના દેહની અહોનિશ રક્ષા કરે છે. રા જેવાને પ્રવેશ પણ ત્યાં થઈ શકે એમ નથી, પરંતુ ક મિત્ર તરીકે મારે તને સરલ માગ કરી આપવો જોઈએ, ટલે હું તને રૂપપરિવતિની (સ્વરૂપ પલટાવવાની) વિદ્યા _પું છું તેને તું ઉપયોગ કરી શકશે.” મદનવેગે એ વિદ્યા સ્વીકારી અને અરણ્યમાં જઈ મહાહેનતે સિદ્ધ પણ કરી. વિદ્યાસિદ્ધ મદનવેગ અહંકારપૂર્વક હસ્તિનાપુરમાં ગયે અને વિદ્યાના પ્રભાવે તેણે એક દાસીનું સ્વરૂપ ધારણ કર્યું. સિીને અંતઃપુરમાં જતાં કોઈ રોકી શકે નહીં, પણ આ નવ લસી કયાંથી આવી એ પ્રકારની કેઈને શંકા ન થાય એટલા વરૂ તેણે લલિતા નામની એક દાસીનું અપહરણ કર્યું અને હુ દૂરના દેશમાં મૂકી દીધી અને એની જગ્યાએ પોતે એવા જ રૂપમાં દાખલ થઈ ગયે. મદનવેગ રોજ રોજ રાજાને મારવાના ઉપાય યોજે છે, પણ છેલ્લો સર્પદંશ થયા પછી રાજા, પોતાની આંગળીએથી દેવ્ય મુદ્રિકાનો ઘભર પણ ત્યાગ નથી કરતે. માત્ર રતિકીડા સમયે એને અલગ કરે છે. મદનવેગ એ અવસરની રાહ જ જુએ છે. એક દિવસે એ લાગ મળી ગયું. રાજા પિતાના અંગરક્ષકોને હાર મૂકી, દેવીના રત્નમય વાસગૃહમાં દાખલ થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy