SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ( 264 ) સતી સુરસુંદરી બાહુવેગ ત્યાંથી પવનવેગે ઉપડ્યો અને જોતજોતામાં ચંદ્રવેગને સાથે લઈ દિવ્યમણિ હાજર કર્યો. એ દિવ્યમણિનું જળ રાજા-રાણીને પાયું અને તે સિવાય એમના અંગ ઉપર પણ છાંટયું. મણિના પ્રતાપે એમને બનેને વિષવિકાર દૂર થા. વિદ્યાધરે અને સમસ્ત પરિવારમાં આનંદની ઉમિઓ ફરી વળી. મકરકેતુએ નગરપ્રવેશ કર્યો અને નાગરિકોએ નેહથી ખૂબ સારું સ્વાગત કર્યું, પરંતુ મકરકેતુના અંતરમાં સંસારની અનિત્યતાના બીજાંકુર પ્રગટી નીકળ્યા હતા. મૃત્યુ નિશ્ચિત છે અને સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા ધર્મ સિવાય બીજી કેંઈ સાર વસ્તુ નથી એવી એની પ્રતીતિ થઈ ચૂકી હતી. ધર્મસાધનમાં પોતે જે પ્રમાદ કર્યો હતો તેને અંગે મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થવા લાગ્યો. સૌ પોતપોતાના માર્ગે વિદાય થયા. રાજાના પ્રાણ બચ્યા તેથી સૌના વદન ઉપર આનંદની જાતિ રેલાઈ, માત્ર મકરકેતુ મહાન વિચાર–સાગરમાં ડૂબી ગયે. આ ચિંતાના દિવસોમાં જ સુરસુંદરી સગર્ભા થઈ. દુર્દેવને લીધે સુરસુંદરીને સ્વામી પ્રત્યેને નેહ સૂકાવા લાગ્યા. ગભ જેમ જેમ વૃદ્ધિ પામવા લાગ્યું તેમ તેમ ગર્ભમાં રહેલા જીવના દિષ્ટ પ્રભાવે સુરસુંદરી નિષ્ફર બનવા લાગી. “રાજાને મારી નાખું?” એ વિચાર પ્રધાનપણે એના મનમાં રમી રહ્યો. રાજા પતે નેહથી એને બોલાવે છે, પણ સુરસુંદરી સીધો જવાબ આપવાને બદલે વગર કારણે રીસાય છે, કેધથી લાલચાળ જેવી બને છે અને ન બેલવાનાં વાક્ય બોલે છે. રાજાને જોતાં જ એની ભ્રકુટી ચડે છે. સુરસુંદરીના રોજના સરળ, સુંદર વહેવારમાં આવું વિષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy