SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્દશ પરિચછેદ. (229) માસના અને ચામધના ટુકડા કાઢવા માંડયાં. મુનિ એ કષ્ટ સાતપણે સહે છે. ચામઢ તડ તડ ફાટે છે–રૂધીરની ધારાઓ રહ્યું છે, પિશાચ ખડખડ હસે છે. એટલેથી જાણે સંતોષ ન થા હોય તેમ તે મુનિને આકાશમાં ફેંકી પાછા પૃથ્વી ઉપર પછાડે છે; છતાં મુનિ તો ધ્યાનમાં જ સ્થિર રહે છે. પિશાચ મુનિના ઉહ ઉપર ચાબુકના પ્રહાર કરે છે, ધૂળ વરસાવે છે, પત્થરના સમૂહમાં ઢાંકી દે છે અને ઘવક પછી આગના ધગધગતા અગારા અંગ ઉપર ચાંપે છે. પિશાચને કઈ દંયા થી જ હાય ? અને તેમાં ચ આ તે વેરને બદલે લેવા નીકળ્યે છે. તેણે શનિના દેહ ઉપર દુસહ યાતનાઓ ગુજારી. મુનિજી શાંતભાવે સહી રહ્યા. અંતે પોતાના દુશ્ચરિત્રને નિંદતા, શુકલધ્યાનમાં આરૂઢ થયેલા એ અનિજી કાળ કરીને બીજા દેવલોકમાં ચંદ્રાજીન વિમાનને વિષે વિધુપ્રભ નામે દેવ થયા. મુનિના દેહના ખાલી ખાના સેંકડે ટુકડા કરીને અસુર અંબરીષ સુચના સાધ્વી પાસે પહોંચે. એ વખતે સુચના પ્રભાતના સમયમાં કાત્સગ કરી, શુકલધ્યાનમાં આરૂઢ થઈ સાધ્વીઓના મધ્ય ભાગમાં બેઠી હતી. અંબરીષે એને દુશ્ચરિત્રનું મરણ કરાવ્યું. તે પછી અગ્નિની વાલાઓથી * લાલચોળ બનેલી એક પુરૂષ–પ્રતિમા બનાવી સુલોચનાને સંબોધીને કહ્યું કે–“પરપુરૂષમાં પ્રીતિવાળી હે પાપિણું, આ લ્હારા સ્વામીનું તુ હવે આલિંગન કર !" અંબરીષે, એ તપાવેલા લોઢા સાથે સુલોચનાને બાંધી, તેની ઉપર એવા જ ધગધગતા દંડના પ્રહાર કરવા માંડ્યા. સુચનાને સુકુમાર દેહ એ ક્યાં સુધી સહી શકે? મરણાંત કષ્ટ સહન કરવા છતાં તેણીએ પોતાની શુદ્ધ ભાવના ન ત્યજી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy