SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વધુ મૂલ્યવાન પણ હોય છે અને તે વખતે ધનના દાનથી નહિ પણ પાણુના દાનથી જ પુણ્ય ઉપાર્જન થાય છે. તાત્પર્ય એ છે કે જીવનધારણ માટે જે વસ્તુની જેને જરૂર હોય તે વસ્તુનું તેને દાન કરવું જોઈએ. સૂત્રમાં ગણવેલા નવ પ્રકારનાં દાનમાં અન્ન, પાણી, વસ્ત્ર, સ્થાન, ઈત્યાદિને સમાવેશ એ જ દષ્ટિથી કરવામાં આવ્યા છે. '' '' '' , '; ' ? : * પરન્તુ ખેદની વાત એ છે કે આજકાલ વીરધર્મના વીતરાગ માર્ગના કેટલાએક ઉત્થાપકે પુણ્યને નિષેધ કરી રહ્યા છે અને આત્મકલ્યાણ માટે પુણ્યોપાર્જનની કશી જરૂર નથી એ ઉપદેશ કરી રહ્યા છે ! તેઓ માને છે કે ભૂખ-તરસથી પીડાતાને અન્ન કે પાણી આપવામાં પુણ્ય નથી પણ એકાન્ત પાપ છે કારણકે મરતા જીવને બચાવ અને તેને જીવનધારણ કરવામાં સહાય કરવી એ તેને સંસાર લંબાવવા બરાબર છે અને સંસાર હમેશાં પાપરૂપ જ છે. કોઈ પણ જીવની નિષ્કામ ભાવે સેવા કરવી એને પાપરૂપ કહેનાર કેાઈ ધર્મ સંપ્રદાય આખી દુનિયામાં નથી, પણ આપણાં દેશમાં એવો વીતરાગ ધર્મને ઉત્થાપક છતાં પોતાને વીતરાગના સાચા માર્ગને અનુસરનાર તરીકે ઓળખાવતે તેરાપંથી સંપ્રદાય છે. દયા અને દાનથી ઉપાર્જન થતા પુણ્યને નિષેધ કરે એ આર્યને અનાર્ય બનવાનું કહેવા બરાબર છે. : આર્યને અનાર્ય -બનવાનું કહેનારને સંસર્ગ થઈ શકે જ નહિ. : 2 માનવને જીવન જીવવા જેવું લાગતું હોય છે તો તે P.P. Ac. Gunratnlasugun. Saradhak Trust
SR No.036482
Book TitleRupsen Charitra Yane Punya Prabhav
Original Sutra AuthorN/A
AuthorBakulchandra Lalchandra Shah
PublisherLaghajiswami Pustakalay
Publication Year1949
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy