SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ H ઇદર્શના I 544 જાપાન જ કિન્નરી—ધર્માધર્મનું ફળ સંબંધી ગુરુશ્રીએ એક વખત મને સુંદર દષ્ટાંત સમજાવ્યું હતું. ધનપાળ-તે મને સંભળાવશે? આજના તમારા સમાગમથી મને ઘણે આનંદ અને ફાયદો થયો છે. કિન્નરી–હા. તે હું તમને સંભળાવીશ. પોતે કદાચ કર્મોદયથી કે આળસથી ન કરી શકીએ, તથાપિ તેવા સારા કાર્યમાં બીજાને પ્રેરણ કરવાથી કે ઉત્સાહિત કરતાં રહેનારને અવશ્ય લાભ જ થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે–પરિણામની સમતા થાય તે કરનાર, કરાવનાર અને અનુમોદન કરનારને સરખું ફળ છે. હું તે દષ્ટાંત સંભળાવું છું. તમે સાવધાન થઈને સાંભળશે. - કિન્નરી–આ ભારતવર્ષમાં આમલકપ્પા નામની પ્રખ્યાત નગરી છે. તેના ઈશાન ખૂણામાં સર્વ ઋતુઓનાં પુષ્પ, ફળોની સમૃદ્ધિવાળુ તથા પંખીગણને હર્ષ આપનાર કચ્છનાગ નામનું ઉદ્યાન આવી રહેલું છે. જેના વક્ષસ્થળમાં જયલક્ષ્મી આવી વસી છે એવો પ્રબળ પ્રતાપી જયઘોષ રાજા તે નગરીનું શાસન કરતો હતો. તેને જયાવલી નામની પટ્ટરાણી હતી. મારું એમ ધારવું છે કે તેની અદૂભૂતરૂપ લાવણ્યતાથી શરમાણીઓ હોય તેમ અપ્સરાઓ કઈ વખત જ આ દુનિયાના જીવોની દષ્ટિએ પડે છે. Ac Gunratnasuri M.S. | 544 | Hodi અને Jun Gun Aaradhak.
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy