________________ i357 કરતા. આત્મધ્યાનમાં મગ્ન થઈ, પૃથ્વીતળપર વિચારવા લાગ્યા. તે વખતના લોકે ધનાઢય અને સુખી હતા. એથી ભિક્ષાચરો કેવો હોય ? અને તેને ભિક્ષા કેવી રીતે આપવી તેનું તેમને ભાન ન હતું. સુદર્શના કર વ્યવહારિક સર્વ પ્રપંચનો ત્યાગ કરનારને ભિક્ષા વૃત્તિ સિવાય અન્ય રસ્તો નથી. તેમ કરવામાં ન આવે તે બીજી અનેક ઉપાધિઓ પ્રગટ થવા સંભવ છે. ગમે તે આશ્રમમાં રહેતાં, શરીર પિતાને ધર્મ તેના ઉપર બનાવ્યા સિવાય રહેતો નથી. એટલે આહારાદિની જરૂર પડે છે જ. ભિક્ષાને અર્થે પોતાને ઘેર આવેલા ઋષભદેવજીને દેખી ભેળાં પણ અજ્ઞાની મનુષ્ય વ, ઘરેણાં, નહિ ખપે તેવી વસ્તુઓ અને કન્યા પ્રમુખ આપવા આવતા હતા. પ્રભુ તેને અનાદર કરી અર્થાત લીધા સિવાય અન્ય સ્થળે ચાલ્યા જતા હતા. જે પ્રભુએ ભિક્ષા માંગી હેત તે તે લોકે જરૂર તેમને આપત પણ પૂર્વકમ આવી રીતે ભોગવવાનું નિર્માણ હોવાથી તે પ્રભુએ પોતાના સંબંધમાં કાંઈપણ બોલવા માટે મૌન લીધું હતું. આ પ્રમાણે આહાર વિના વિચરતાં એક વર્ષને અંતે સાકેતપુર શહેરની બહાર આવી . રાત્રિએ એક સ્થળે તે મહાપ્રભુ ધ્યાનમાં રહ્યા. તે શહેરમાં બાહુબલીને પુત્ર સમપ્રભ રાજ્ય કરતા હતા. તેને શ્રેયાંસકુમાર નામે પુત્ર હતો. તે કુમારને પાછલી રાત્રિએ સ્વપ્ન આવ્યું કે, ૩પ૭ || P PAC Gunratnasuri M.S. Jun Gun Aaradhak T .