SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઈંદ્રાદિ દેવોથી પૂજનિક તે, સર્વજ્ઞ, વીતરાગ, મહાદેવ, દેવાધિદેવ, પરમેશ્વર, પરમાત્માદિ નામથી બોલાવાતા અરિહંતદેવ દેવ કહેવાય છે. | 8 || સુદર્શના 82 પિતાશ્રી ! ગૃહ, સ્ત્રી, પુત્ર, ધન, પરિવારાદિ બાહ્ય ગ્રંથિનો (પરિગ્રહનો) ત્યાગ કરનાર, સુખ-દુ:ખને સમદષ્ટિથી જોનાર, જીવાજીવાદિ તત્ત્વોના ત્યાગ ગ્રહણાદિ પરમાર્થને જાણનાર, દુર્ધર પાંચમહાવ્રતના ભારને વહન કરનાર, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનાર. દુસહ માતારા પારહ–સહન કરવામાં ઉદ્યમ કરવાવાળા, મહાસવાન, ક્રોધાગ્નિને બુઝાવનાર. મન, વચન, કાયાના અશુભ માગનો નિરોધ કરનાર. સજઝાંય ધ્યાનમાં આસક્ત, વિવિધ પ્રકારના નિયમ ધારનાર, ક્ષમા, ઇંદ્રિયદમન અને સંતોષમાં તત્પર, તૃણ અને મણિ, મિત્ર અને શત્રુમાં સમદષ્ટિ રાખનાર, છ જવનિકાયનું રક્ષણ કરનાર, મધુકર વૃત્તિએ નિદોષ આહાર ગ્રહણ કરનાર, સંયમરૂપ પાણીથી પૂણ દયારૂપ તરંગવાળી. મનની પવિત્રતા અને શિયલરૂ૫ કિનારાવાળી, સત્ય-તપ-ઇંદ્રિયનિગ્રહ અને કરુણારૂપ ચાર પ્રવાહવાળી આત્મરૂપ નદીમાં સ્નાન કરી, પાપરૂપ મળને ધોનારા, ઉપશમ, વિવેક અને સંવરરૂપ ત્રણ પવિત્ર કુડ બનાવી, જ્ઞાનરૂપ ધી હમી, ધ્યાનરૂપ અગ્નિ સળગાવી, ક્રોધ-માન-માયા-લોભ-કામ-રાગ અને દ્વેષરૂપ હામવા લાયક પશુઓને હોમી ક્ષમારૂપ પુરષા (હવ્ય પદાર્થ)નું ભજન કરનારા, બ્રહ્મચર્ય અને મહાવ્રતરૂપ Ac. Guntatnasuri MS Jup Gun Aaradhak Trus જીટલ
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy