SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ કર્ણના પડદાને ધમધમાવી દેતી હતી. આવા ભયંકર જગલમાં એના ધર્મ સિવાય એનું રક્ષણ કોણ કરે તેમ હતું ? " . “અરે માણસને માથે આફત આવી પડે છે ત્યારે ચાહનારા બધા દૂર થઈ જાય છે, ને કરેલાં કર્મ સ્વયમેવ પિતાને જ ભેગવવાં પડે છે, પરભવે કંઈ પણ એવી અધમ કરણી કરી હશે જેનું આ ફળ મલ્યું. પ્રાણથી અધિક વ્હાલા પતિએ પણ વેરીની ગરજ સારી, અરે આ મારી આભૂષણચુક્ત મનહર બાહ લતા અત્યારે તો ખંડિત થઈ ગઈ. બન્ને હાથ મારા ઠુંઠા થઈ ગયા. હવે શું કરું? આ દુ:ખ કેને કહું. રૂદન અને વિલાપ કરતી દુ:ખની મારી કલાવતી - હવે માત્ર મૃત્યુની જ રાહ જોતી જળ વગરની માછ લીની જેમ દુ:ખથી તરફડવા લાગી. હસ્તની વેદનાએ : એને આકુળવ્યાકુળ કરી હતી. પણ શું કરે? વિધિની અજબ કરામતમાં માનવીની બુદ્ધિ ક્યાં સુધી ચાલી શકે? - પૂરા દિવસ હોવાથી ગર્ભની સ્થિતિ પણ પરિપકવ થઈ ગઈ હતી, તેથી આવા આફતના પ્રસંગે એને બીજી પ્રસવજન્ય, વેદના પણ ઉત્પન્ન થઈ, “હા ! દૈવ ! તુ પણ બરાબર તારે બદલો લઈ લે. દુજનની માફક રડેલું દેવ પણ એક દુ:ખ જ્યાં પૂર્ણ થતું નથી ત્યાં બીજી તૈયાર કરે છે. હોય! તારે પણ સમય છે. જગતમાં સમયની બલિહારી છે. પ્રસવની વેદનાથી કલાવતી ત્યાંથી ઘસડાતી ઘસડાતી આગળ ચાલી. નજીકમાં જ ઘુઘવાટ કરતી - પડછડ અને પ્રચંડકાયાવાળી શ્યામ સરૂપા સિંધુ નદીના કિનારા નજીક આવી, જ્યાં નાનાં નાનાં ઝાડવાઓનાં જુથનાં જુથ આવી રહેલાં હતાં. એ જુથના આંતર પ્રદે-શમાં આવતાં ત્યાં પણ કલાવતીને કેટલીક વેદના થઈ, એ - કષ્ટને સહન કર્યા વગર કાંઈ છૂટકો નહોતો, કારણ કે એની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy