________________ 488 પૃથવીચંદ્ર અને ગુણસાગર શુભલગ્ન સાવધાન ' ગુણસાગરનું વચન સાંભળી પુત્રને સમજાવતી માતા બોલી, “હે વત્સ ! જરી તારી પોતાની તરફ તો જો! કેમળ અંગવાળો અને નવીન તારૂણ્યના ઉદયવાળે તું દીક્ષા ગ્રહણ કરી વ્રતોનાં કષ્ટ શી રીતે સહન કરીશ? પુત્ર! ચારિત્ર તો દોહ્યલુ-દુષ્કર છે ત્યારે તું અસમર્થ બાળક સુકુમાર છે માટે ગૃહસ્થ ધર્મ સુખે આરાધન કર, તને વિશેષ શું સમજાવું ? ' માતાનાં કમળ અને ભીરૂ વચન સાંભળી જાતિ સ્મરણ જ્ઞાનથી પિતાના ભવોની પરંપરા જાણનાર ગુણસાગર મુખ મરકાવતો બોલ્યો, “માતા ! આ જીવે દુનિયામાં અનંતીવાર મહાન કષ્ટ સહન કર્યા છેપૂર્વે મેં નરકને વિષે વૈતરણીનાં દુ:ખ ભેગવ્યાં છે. શામલી વૃક્ષનાં કરવત સમાન પત્રથી વીંધાઈ રહ્યો હતો, તપેલી વાલુકારેતીમાં મને પરમાધામીઓએ ચલાવ્યો હતો. કુંભીપામાં અગ્નિની ભઠ્ઠીની જેમ વારંવાર પકાયો છું, વારંવાર નરકમાં શુલિકા પર ચઢયો છું, કરવતથી પરમાધામી વડે વારંવાર છેદન ભજન કરાય છું, ત્યાં ભાલા અને તલવારવડે છેદાઈ રહ્યો હતો, મુદગરના મારથી ત્રાસ્ત્રાહ્ય પોકારી રહ્યો હતો, અસિવનમાં ભ્રમણ કરતાં શ્વાન આદિકનો શિકાર-રાક થઈ રહ્યો હતો એવાં અસંખ્ય દુ:ખે નરકમાં ભાગવી રહ્યો હતો અને તેય કેટલો બધો કાળ ? સાગરોપમનાં સાગરેપમ સુધી એ બધાં દુ:ખે મેં વારંવાર ભેગાવ્યાં, માતા ! . તિર્યંચ ભવમાં બળદનો અવતાર ધારણ કરી અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust