________________ એક્વીશ ભવનો સ્નેહસંબંધ 475 ભોગોની જેમ દેવતાની માફક સુખ ભોગવતો પિતાનો કાળ સુખમાં નિર્ગમન કરતો હતો. અન્યદા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાંથી કુસુમાયુધ રાજાને જીવ ચ્યવી પદ્માવતીના ઉદરમાં ઉત્પન્ન થયો તે સમયે રાત્રીના પાછળના પ્રહરે દેવીએ સુર અને દેવીથી ભરેલું મહાવિમાન સ્વપ્રામાં જોયું. સ્વમ જઈ જાગૃત થયેલી રાણીએ રાજા આગળ સ્વપ્નની વાત નિવેદન કરતાં રાજાએ કહ્યું. “તમારે મનહર પુત્ર થશે.” - રાજાના વચનથી પ્રસન્ન થયેલી રાણી ગર્ભનું સારી રીતે પોષણ કરતી સમય નિગમન કરતી હતી. નવમાસ વ્યતીત થયા ત્યારે પટ્ટરાણીએ મનહર કાંતિને ધારણ કરનારા પુત્રનો જન્મ આપે. રાજાએ પુત્ર જન્મને માટે વર્યાપન મહોત્સવ કર્યો. સગાંકુંઢબાદિકની સંમતિથી કુમારનું નામ રાખ્યું પૃથ્વીચંદ્ર. પંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો પૃથ્વીચંદ્ર કલાઓને પારંગામી થઈ અનુક્રમે યૌવનવયમાં આવ્યો, નવીન યૌવનના ભાગ્યોદયવાળા હોવા છતાં કુમાર વયને. ઊંચિત કીડા કરતો નહિ. હાસ્ય કે વિલાસ પણ કરતો નહિ.. વીતરાગની માફક પ્રશાંત મનવાળા તે આયુધ રમવાને . પણ અભ્યાસ કરતો નહિ કે ગજ અથવા અશ્વ પર સ્વારી. પણ કીડાની ખાતર કરતો નહી. કેવલ વ્યવહારની ખાત જ સ્નાન, અલંકાર કે માલાને ધારણ કરતો હતો તેમજ અલ્હન, ચૈત્ય, સાધુ, સાધર્મિકને માતાપિતામાં તે ભક્તિવાળેા હતો. રાજકુમાર પૃથ્વીચંદ્રની વિરક્તાવસ્થા જોઈ રાજા, વિચારમાં પડ્યો “આ વૈરાગી રાજકુમારને ભેગાસક્ત. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust