________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 341 , અનેક રાણીઓમાં મુગુટમણિ તુલ્ય એ પટ્ટદેવી સાથે પાંચે પ્રકારનાં વિષયસુખ ભોગવતા રાજાએ ક્ષણની જેમ ઘણેકાલ પસાર કર્યો, . એકદા એકાંતમાં બેઠેલા નરપતિની આગળ કઈ ચરપુરૂષે રાજાની બિરૂદાવલી બેલતાં વિનંતિ કરી “હે દેવ ! આપ જય પામ વિજય પામ! નિશા સમયે નગરીનું નિરીક્ષણ કરતાં મેં જે હકીકત સાંભળી છે તે આપ શ્રવણ કરો. નરસિંહ રાજ રાજેશ્વર જય પામો. એક સ્ત્રી બેલી, - તેના જવાબમાં બીજી સ્ત્રી કટાણું મોં કરતી બોલી. આ રાજા તો નામથી નરસિંહ છે કાર્યથી નહિ, કાર્યથી તે એને નર જંબુક કહીયે તોય ચાલે, પુત્રરૂપી ધનથી રહિત હોવા છતાં તે છતી શક્તિએ પણ ઉદ્યમ કરતો નથી, એનું નામ નરસિહ છે શું ? ) - આ જગતમાં ગમે તેટલી અને ગમે તેવી ક્રિયા કરે પણ ઉદ્દેશ રહિત અગરતો મંત્ર વગરની ક્રિયા નકામી છે. કેમકે નેત્ર વગરના અથાગ અને અપાર સૌંદર્યનો પણ ઉપગશે ? તેમજ શીલ વગરનું પણ જેમ તપ નકામું : છે એવી રીતે પુત્ર વિનાનું વિશાળ કુળ પણ શા કામનું? એ તો પુત્રથી જ એ બધી શેભા છે. ચરપુરૂષની વાત સાંભળી રાજાએ મંત્રીઓને બોલાવી પુત્રની પ્રાપ્તિ માટે ઉપાય પૂછ્યો, તેના જવાબમાં મંત્રી બે , “હે સ્વામિન ! આપણા નગરમાં વિચિત્ર વેષને ધારણ કરનારો એક યોગી આવ્યો છે. તે અનેક મંત્ર તંત્ર અને સામર્થ્યવાળા હોવાથી આપ એની પાસે પુત્રની માગણી કરો. લકે એની શક્તિનાં બહુ વખાણ કરે છે. તે જનનાં અભિલાષિતને પૂરે છે. મંત્ર વગરએ તેવી ક્રિય વગરના ઉપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust