SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ 328 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતાના મઠમાં આશરે આપો, તેની હકીકત જાણીને તેની ઈચ્છા તૃપ્ત કરવા માટે પર્વતના મૂળમાં કેઈ ઔષધિ બતાવીને કહ્યું “આને બરાબર ઓળખી લે ને મધ્યરાત્રીએ આવી વિધિપૂર્વક એને ગ્રહણ કરજે. - તેઓ બન્ને પાછા મઠમાં આવ્યા. નિશા સમયે તે સાધુએ ગુણધરને કહ્યું, “હે વત્સ ! મારી શક્તિથી તું ત્યાં જઈ વલ...ભા ઔષધીને વામ હાથમાં ગ્રહણ કરી ગાઢ મુઠીવાળીને લઈ આવ. પણ પાછુ ફરીને જોઇશ નહિ, ને કંઈ પણ ભય મનમાં લાવીશ નહિ. કે જે ઔષધીના પ્રતાપથી તારું દારિદ્ર દૂર થશે-તું સુખી થઈશ. સાધુનાં વચન સાંભળી નિર્ભય થઈ તે ત્યાં ગયે, કહેલી વિધિને અનુસારે મુઠીમાં ઔષધીને ગ્રહણ કરી પાછો ફર્યો તે સમયે અટ્ટહાસ્ય કરતો એક રાક્ષસ કુત્કારને કરતો પર્વતની તળે'ટીએ આજે એ રાક્ષસનો કર્કશ અને ભયંકર શબ્દ સાંભળી ભય પામેલો તે કંઇક-જરા પાછુ જઈ આગવી ચાલો, પણ પેલી ઔષધી એની મુઠી માંથી અદૃશ્ય થઈ ગઈ. દુઃખી થયેલો તે પેલા લિંગી પાસે આવી પોતાનું વૃત્તાંત કહેવા લાગ્યું. - લિંગીએ એનું કથન સાંભળી કહ્યું. “વત્સ ! તું સાહસિક અને ઉદ્યમી તો જરૂર છે પણ તારે પુર્યોદય ન હોવાથી તારી મહેનત નકામી જાય છે. બલકે એનું પરિ વિરામ પામી સંતોષ ધારણ કરી ઘેર જા. નાહક કલેશ ના ભોગવ. 2) લિંગીએ શિખામણ આપવા છતાં તે પોતાના ગામ તરફ ન જતા મલય સન્નિવેશમાં ગયો ત્યાં કઈ પરિવાજિક સાથે એને મેલાપ થયો. ગુણધરનું વૃતાંત જાણીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy