________________ એકવીશ ભવનો સનેહસંબંધ 269 પરણીને આ મારૂ રાજ્ય પણ તમે ગ્રહણ કરો, સંસારના સ્વરૂપથી ભય પામેલો હું હવે સંયમને ગ્રહણ કરીશ. કુમારે તેનું વચન અંગીકાર કરવાથી ચાર કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવી રાજ્યાભિષેક પણ કરી દીધો ઉપરથી કંઈક શિખામણની વાત કહી સંભળાવતાં રાજા. છે . “હે કુમાર! આ લોક અને પરલોક વિરૂદ્ધનો ત્યાગ. કરવો. ન્યાયથી પ્રજાનું સારી રીતે રક્ષણ કરવું, રાજા જ પ્રજાનું ન્યાયથી પાલન કરે તે પ્રજા જે ધર્મ કરે તેને છો. ભાગ રાજાને મેલે, પાપી રાજા હોય તો પ્રજાના પાપને. છઠ્ઠો ભાગ રાજાને મળે માટે શઠનું દમન કરીને સર્જન, પુરૂષોનું તારે રક્ષણ કરવું. તેથી હે રાજન ! તમે પ્રજાનું એવી રૂડી રીતે પાલન કરજે કે તે અમને કદાપિ સંભાળે નહિ. નવા રાજાને સારી રીતે શિખામણ આપી સંયમ. ગ્રહણ કરવાને તેણે રાજાની અનુમતિ માગી, - નવા રાજાએ રૂડી રીતે દીક્ષા મહોત્સવ કરેલ છે એવા વસુતેજસ રાજાએ સદગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી, રત્નશિખ રાજાએ ગુરૂ પાસે સમકિત ગ્રહણ કરી, ન્યાયથી પ્રજાનું પાલન કરવા લાગ્યો, શશિવેગ રાજાએ આ સમાચાર જાણીને પોતાની કન્યા ચંદ્રપ્રભાને રત્નશિખા રાજા સાથે પરણાવી, ને એક હજાર વિદ્યા આપી સંપૂર્ણ શકિતવાન બનાવ્યું, આ. વૃત્તાંત જાણીને સુરવેગને મામો સુવેગ ક્રોધથી હાથીનું. રૂપ કરી રત્નશિખને મારવાને આવ્યો - રાજાના ઉદ્યાનમાં એક વિચિત્ર હસ્તીની વાત જાણી રાજા હસ્તીને પકડવાને આવ્યો. અનેક ઉપાયને જાણનાર. રાજાએ આખરે એ ગજરાજને પકડી પાડીને ઉપર ચઢી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust