________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 191 રહ્યો છે. તેનું સ્થાનક પણ હું જાણું છું તે કહે તો બતાવું, પણ મને ત્યાં કઈ લઈ જાય તો બતાવી શકાય. - એ રાજકુમારની વાત સાંભળી કેક ત્રીજા રાજકુમારે પોતાની વિદ્યાશક્તિ વડે આકાશગામી વિમાન તૈયાર કર્યું. એ વિમાનમાં લલિતાગાદિ કુમારે ક્રોધથી ધમધમતા પિતાના આયુધો સહિત બેસીને ચાલ્યા. પેલા નિમિત્ત કહેનાર રાજકુમારની વાણીને અનુસરે તેઓ પેલા દુષ્ટ વિદ્યાધરની સમીપે આવી પહોંચ્યા ધનુર્ધારી લલિતાગ એ વિદ્યાધરને જોઈ ગજર્યો. “અરે દુષ્ટ ! પરમાં ગ્રહણ કરીને તેં તારૂ ખગ નામ સાર્થક કર્યું છે. વિદ્યાધર થઇને છેલથી તુ પદારા હરીને નાશી ગયો, તારી જાતને તું લજાવી ગયો. સિંહ નામ ધારી છતાં તું શિયાળ જે રંક થઈ ગયે. લલિતાંગનાં વચનને નહિ સહન કરતો વિદ્યાધર હૃદયમાં અમર્ષને ધારણ કરતો કન્યાને એક બાજુએ મુકી લલિતાંગની સામે આવી યુદ્ધ કિરવા લાગ્યો, બન્ને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા, યુદ્ધમાં તીણ શર. વડે કરીને લલિતાગે તે વિદ્યાધરને મારી નાખ્યો. વિદ્યાધરને મારીને ઉદમાદયંતી પાસે આવ્યા તો તેણીને મરેલી જોઈ બધા વિચારમાં પડયા. ચિકિત્સા કરતાં સર્ષના દંશથી મૂચ્છિત થયેલી નિશ્ચય કરીને ગારૂડી મંત્રના જાણ એક રાજકુમારે સિદ્ધ ગારૂડી વિદ્યાવડેકરીને સજીવન કરી.. રાજબાળાને વિમાનમાં બેસાડી સર્વે રાજકુમાર રાજાની પાસે આવ્યા, રાજકુમારી એના પિતાને સ્વાધીન કરી તેમણે પોતપોતાની પરાક્રમ ગાથા કહી સંભળાવી. એ ચારે રાજકુમાર રાજબાળાને પરણવાને આતુર થયા છતા પરસ્પર વિવાદ કરવા લાગ્યા, રાજા પણ ચિંતાતુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust