________________ એકવીશ ભવને નેહસંબંધ 147 સ્વર્ગમાં રતિસુંદર નામના વિમાનમાં દેવીપણે ઉપન્ન થઈ. ત્યાં દેવભવનાં અનુપમસુખ ભેગવી આ ચંપાનગરીમાં કાંચનશેઠને ત્યાં વસુંધરા નામની સ્ત્રીથી રતિસુંદરીને જન્મ થયો તેનું નામ તારા, કુબેરશેઠને ત્યાં પદ્મની નામે સ્ત્રીથી બુદ્ધિસુંદરીને જન્મ થયો તેનું નામ શ્રીમતી, થરણશેઠને ત્યાં લક્ષ્મી નામે સ્ત્રીથી ઋદ્ધિસુંદરીને જન્મ થયો તેનું નામ વિનયવતી અને પુયસાર શેઠને ત્યાં વસુશ્રી નામે સ્ત્રીથકી ઉપન્ન થયેલી ગુણસુંદરીનું નામ દેવી! સરોવરમાં જેમ રાજમરાલી શેભે તેમ એ ધનાહયોના કુળને શેાભાવતી શાસ્ત્રકળાનો અભ્યાસ કરી જૈન ધર્મથી સુવાસિત થયેલી અનુક્રમે તે યૌવન વયમાં આવી. આ તીર્થકર ભગવાનને પરભવમાં આપેલા દાનના પ્રભાવે વિનયધર શેઠને એ ચારે બાળાએ પરણી. સમકિત અને બાર વ્રતને ભાવતી એ ચારે બાળાઓના પુણ્યને યોગ્ય વિનયંધર હતા, કારણકે વિધિ પણ સરખેસરખાંનો મેળાપ કરાવી આપે છે પરભવના અભ્યાસથી આ ભવમાં પણ તેઓ ધર્મમાં પ્રીતિવાળા થઈને પ્રાણને ભેગે શીલ પાલન વામાં સાવધાન છે. હે રાજન! દેવતાની સહાયવાળા અને ધર્મરસિક એવાં એમને જે વિશ્વ કરે છે તે સત્વર નાશ પામે છે. તે તો બધું નજરોનજર જોયું છે. સુરેપવાન છતાં શાસનદેવીએ એમનું સ્વરૂપ બિભત્સ બનાવી એમની રક્ષા કરી ને ક્ષણવારમાં પાછું મૂળ સ્વરૂપ થઈ ગયું એ બધેય એમના શીલને પ્રભાવ ! એ શીલવતીઓના હંકાર માત્રથી ગમે તેવો મહા'વિદ્યાવાન નર પણ આ ભસમ થઈ જાય, પણ સમ્યકત્વના સજાવથી દયાપૂણ હદયવાળી એ સ્ત્રીઓએ તે દુ:ખ 11 છતાં લગાર પણ તારૂં મા : ચિંતવ્યું નથી. જોઈ એમની ઉદાર હલાવતા 31.S: Jun Gun Aaradhak Trust