SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 142 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુખનો જ અભિલાષી હેય ને એ ખાતર જ જીવતો હોય તો મારે પણ તારૂં હિત કરવું જોઈએ. પણ હાલમાં ચાર માસ પર્યત મેં મંત્રસિદ્ધિને માટે બ્રહ્મચર્ય પાળ્યું છે. જે મંત્ર સિદ્ધ થવાથી તારૂં ને મારું કલ્યાણ થાશે, મારે અને વિધવાપણું અને પુત્રની ઉત્પત્તિ થશે.” - ગુણસુંદરીનું વચન એ બ્રાહ્મણે ઘણા આનંદપૂર્વક અંગીકાર કર્યું “વાહ! શું મારા હિતની કરનારી છે? ગુણસુંદરીએ પણ અત્યારે કાળવિલંબ કરવાનું ઉચિત માન્યું. એ ધિરજાતિ બ્રાહ્મણના ઘરમાં રહેલી ગુણસુંદરી એના ઘરનું બધું કામ કરતી ને સારી રસવતિ કરીને બ્રાહ્મ‘ણને જમાડવા લાગી. થોડા દિવસમાં ગુણસુંદરીએ બ્રાહ્મણનો ખુબ વિશ્વાસ સંપાદન કર્યો, જેથી બ્રાહ્મણના દીલમાં થયું કે “આહા ! શું મારા પર પ્રીતિવાળી છે ? કાજલની કંગાલ કેટડીમાં રહીને એ ક્ષુદ્ર બ્રાહ્મણની. સેવા કરતી ગુણિયલ ગુણસુંદરી આયંબિલનું તપ કરીને પિતાની કાયાને દમવા લાગી. સ્નાન, અંગારાદિ દરેક, શાભા તજી દીધી. એવી રીતે ગુણસુંદરીને ચાર ચાર, માસની અવધિનાં વહાણાં વહી ગયાં. છેલ્લે દિવસે રાત્રીના ગુણસુંદરી પિકાર કરવા લાગી, હૈયાં, માથાં કુટતી ભૂમે મારવા લાગી. એના આ ચિત્કાર ને ચિલ્લાવવાથી વેદરૂચિ ગભરાઈ ગયો. “શું છે? શું છે ?" અરે ! શાળની વ્યાધિથી હું મરી જાઉ છું.” પેટની પીડા તરફ અંગુલી નિર્દેશ કરતી બોલી. બ્રાહ્મણે મણિમંત્ર આદિ અનેક ઉપચાર કરવા છતાં એ સુંદરી ભૂમિ પર આળોટતી લોટવા લાગી, પ્રાત:કાળે ગૃહકાર્ય કરવા છતાંય આક્રંદ કરવા લાગી. “અરે સુંદર ! તારા ગૃહને યોગ્ય છું ન હોવાથી દુર્ભાગ્યવાળી છું, શું કરું? પેટની પીડા તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy