SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 124 : પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “એ તારી ભ્રમણા છે પ્રિયે! કયાં તું અને કયાં આ જડ દુર્ગધ ભરેલી પુતળી ! કનક અને કથીર કદિ સમાન થઈ શકે? “રાજા! તમે પંડિત થઈ ભીંત ભૂલ્યા છે, આ ઉપરથી રૂપરંગ ભર્યા ભભકાબંધ શરીરની અંદર હાડ, માંસ, રૂધિર સિવાય બીજુ શું છે? મળ, મૂત્ર અને વિષ્ટાથી ભરેલા આ ગંદા કલેવરમાં રાચી નરકનાં દ્વાર શા માટે ખખડા છો? માંસમાં આસક્ત માછલાની માફક સ્વ૯૫ માત્ર સ્પર્શ ઇન્દ્રિયના સુખમાં રક્ત બની મેરૂથી ય અધિક 'તિર્યંચ અને નરગતિનાં દુ:ખની અભિલાષા શા માટે કરે છે? દુર્ગતિને આપનારી એવી પરદારાને જે પુરૂષ સેવ નથી તે આપદારૂપ સાગરની પાર તરી જાય છે, એટલું જ નહી બલકે સંસારની ઉત્તમ સંપત્તિને પામે છે, પરસ્ત્રી કે પરપુરૂષને આલિંગન કરવા માત્રથી નરકાગ્નિની ધગધગતી જવાળામાં દધ થવાનું ન હોત તો તમારા જેવા સજન પુરૂષનો સંગ કેને સુખકારી ન થાય ? પુરૂને આ સંસારમાં ભાગ તો માત્ર અ૯૫કાલના પ્રમાણમાં હોય છે ત્યારે એના ફલ તરીકે દુ:ખ ભોગવવાનાં છે. તો નરકને વિશે પોપમ અને સાગરોપમ સુધી હોય છે હે રાજન ! તમે તમારા અંત:પુરની સૌદર્યશાલિની રમણ કરતાં મારામાં શુ અધિક જોયું છે કે એ સાગરેપમ સુધીનાં દુ:ખ ભોગવવા તૈયાર થયા છે. પ્રજાજન જે ગુન્હો કરે તો તમે અહીયાંજ શિક્ષા કરે છે પણ તમારા ગુન્હાની શીક્ષા તમારે નરકમાં જઇને અવશ્ય ભોગવવી પડશે. રાજન ! માટે આ પેટે કદાગ્રહ મૂકી ન્યાય માર્ગે ચાલો. >> - બાલક જલમાં પડેલા ચંદ્રના અનેક પ્રતિબિંબને દુઃખી થયાંજ જઈને મૂકી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy