________________ 108 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુંદરી નામે કન્યા થઈ. નરકેશરી રાજાને શ્રીદત્ત નામે બુદ્ધિનિધાન મંત્રી હતો, સુમિત્ર નામે વ્યવહારી નગર શેઠ અને સુઘોષ નામે પુરોહિત હતો, મંત્રીને લક્ષ્મણા નામે પ્રિયાથકી બુદ્ધિસુંદરી નામે પુત્રી થઈ, નગરશેઠને લક્ષ્મી નામે પત્નીથકી ઋદ્ધિસુંદરી નામે પુત્રી થઈ અને પુરોહિતને લલિતાનામે સ્ત્રીથકી ગુણસુંદરી નામે પુત્રી થઈ. રાજકુમારી રતિસુંદરી યોગ્ય વયની થતાં પાઠશાળમાં ભણવાને માટે જવા લાગી તે સમયે તેની સમાન વયવાલી બુદ્ધિસુંદરી, ઋદ્ધિસુંદરી અને ગુણસુંદરી પણ એ લેખ શાળામાં અભ્યાસ કરવા આવી. પછી તો સમાન વયની ને સરખા સૌંદર્યવાળી એ ચારે બાળાઓને પર- સ્પર મૈત્રી થઈ. સાથે રમે, સાથે જમે અને સાથે અભ્યાસ કરતી એ ચારે બાળાઓ સ્નેહ સંબંધથી એક બીજાને ઘેર જવા આવવા લાગી. એક દિવસે દ્વિસુંદરીને ત્યાં આ ત્રણે - બાળ સખીએ વાર્તાવિનોદ કરતી હતી તે દરમિયાન શેઠને - ત્યાં આવેલી કઈ પવિત્ર અને સૌમ્ય વર્ષને ધારણ કર નારી સાધ્વીને જોઈ સખીઓએ પછયું “રૂદ્ધિ! આ નિષ્ક• લંક અને પવિત્ર આર્યા કોણ છે??? “ધર્મનો ઉપદેશ કરનાર અમારા ધર્મનાં એ પવિત્ર ગુણશ્રી નામે આર્યા છે. ઋદ્ધિસુંદરીએ ખુલાસો કર્યો અને જરાક હસી.. એમની સૌમ્ય આકૃતિ જ એમના ગુણોને જણાવે છે. આપણે એમને વાંદરીયે, કંઈક શિખામણ પણ સાંભળીએ.” રાજબાળા રતિસુંદરી બેલી. . “જરૂર! એમને જે વાંદે છે નમે છે તેમને ધન્ય છે, ભક્તિવડે કરીને જે એમને સ્તવે છે તે ધન્યતર છે અને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust