SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 50 પ્રિયંકરનૃપ ચરિત્ર. છેદથી સંતતી જીવતી નથી, વળી આમલીવૃક્ષના છેદથી ધનને અને યશનો પણ નાશ થાય છે, એમ આચાર્યોએ કહ્યું છે. માટે સ્વહિતેચ્છુએ તેનો ત્યાગ કરવો. વિચક્ષણ જનેએ સુખશાંતિને અર્થે પ્રાયઃ વૃક્ષરહીત સ્થાન મેળવીને પિતાને આવાસ કરે. વળી પિતાને આવાસ કરતાં સ્વહિતને માટે જિતેંદ્ર પૃષ્ઠભાગ તજ, મહેશને પાર્થભાગ તજેવો અને વિષ્ણુને અગ્રભાગ તજ ઉચિત છે. જિનમંદિરની પછવાડે સવાસો હાથ જેટલી જમીનની અંદર કરેલ ઘર ધન અને સંતતીને નાશ કરે છે. મહેશના મંદિર વિગેરેને માટે પણ તેવી જ રીતે સમજી લેવું. આ બાબત વધારે વિસ્તારથી જેવી હોય તો ચૂડામણિ વિગેરે ગ્રંથે જોઈ લેવા. " અનુક્રમે કેટલેક દિવસે શ્રેષ્ઠીએ કરાવેલ આવાસ તૈયાર થયે એટલે શુભ મુહ ઘરની અંદરના વામ ભાગમાં દેવાલય સ્થાપીને દેવપૂજા તથા સંઘવાત્સલ્ય અને દીદ્ધારાદિક કરીને ધનદત્ત શેઠ નવા આવાસમાં રહેવા આવ્યું. ત્યાં રહેતા ત્રણ દિવસ થયા. પછી એથે દિવસે રાત્રિએ ધનદત્ત સુખે ઘરમાં સુતો, તે પ્રભાતે જાગે ત્યારે પિતાને ઘરના આંગણામાં પલંગ પર સુતેલે જે. પછી વિસ્મય પામીને બીજે દિવસે રાત્રિએ નમસ્કાર અને ઈષ્ટ દેવતાના સ્મરણપૂર્વક તેજ નવા આવાસમાં અંદરના ઓરડામાં દ્વાર બંધ કરીને સુતો, પણ પ્રભાતે પ્રથમ દિવસની જેમજ પિતાને બહાર સુતેલે જે, એટલે તે વિશેષ ચિંતાતુર થયે. પછી ત્રીજે દિવસે પણ રાત્રિએ ધૂપ ઉખેવીને ત્યાં સુતો, પરંતુ પ્રથમની જેમજ થયું. આથી તે મનમાં અતિશય ખેદ પામે. તેના કુટુંબમાંથી પણ જે કોઈ રાત્રિએ ત્યાં સુવે, તે પ્રભાતે ઘરના આંગણામાં સુતેલો જોવામાં આવે. આ પ્રમાણે થવાથી ભયભીત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036473
Book TitlePriyankar Nrup Charitra
Original Sutra AuthorN/A
AuthorJinsur Muni
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size146 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy