________________ 10 . પ્રિયંકરનૃપ ચરિત્ર. હવે તેજ ગામમાં ધનમાં કુબેર સમાન પાસદત્ત નામને મહાશ્રાવક રહેતો હતો. તેને પ્રિયશ્રી નામે પત્ની ' હતી, પરંતુ પૂર્વકર્મનો સંગાથી તે અનુક્રમે નિધન થઈ ગયે. તેથી તે નગરનો ત્યાગ કરીને ઘણા કેબિક (કણબીઓ) ના * નિવાસવાળા તે ગામની પાસેના શ્રીનિવાસ નામના ગામમાં જઈને તે રહ્યો. કહ્યું છે કે -" દુઃસ્થિતિમાં આવેલ રાજપુત્ર અધિકારીઓની ચેરી કરે છે, સામાન્ય વણિક પિટલા ઉપાડીને ફેરી કરે છે, વિપ્રજન ભિક્ષાવૃત્તિ કરે છે, અન્ય વર્ણના લોકો બીજાને ઘેર દાસપણું કરે છે, શ્રેષ્ઠીજને સુવર્ણ અને રૂપા વિગેરે ધાતુઓને ( ઘરમાણેનાં ઘરેણાં વિગેરેન) વિકય કરે છે, નીચ લોકે ઘરે ઘરે ભિક્ષા માટે ભમે છે, ખેડુત લોકો બીજાનું હળ ખેડે છે અને અબળાજનો કપાસકર્મ ( રૂ કાંતવાનું ) કરે છે.” ત્યાં છે નિવાસ કરીને તે શેઠ સ્કંધપર કાપડની પિટલી ઉપાડી ગામમાં ફરી વસ્ત્રવિકર્યો કરવા લાગે અને તેથી તે પોતાની આ જીવિકા જેટલું ધાન્યાદિક મેળવવા લાગે. કહ્યું છે કે-“નવું અન્ન, નવું શાક, સારૂં ઘી અને ચેખું દુધ દહીં-ઇત્યાદિ સારું ભેજન ગામડામાં અ૯૫ ધનવ્યયથી મળી શકે છે. તેણે ત્યાં રહીને બહ પ્રયત્નો કર્યા છતાં પોતાની આજીવિકા કરતાં અધિક ધન તે મેળવી ન શક્યો. કહ્યું છે કે માણસ ગમે ત્યાં જાય, પણ પૂર્વકર્મ તો તેમનું સહચારી જ હોય છે. આ પ્રમાણે મહાપુરૂષનું વચન સાંળને ચતુર પુરૂષે દેશાંતર જતાં નથી, પરંતુ ધન વિના કયાંય પણે મહત્વ મળી શકતું નથી. કહ્યું છે કે - यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पंडितः स श्रुतिमान् गुणज्ञः। स एव वक्ता स च दर्शनीयः, सर्वे गुणाः कांचनमाश्रयंति" // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust