________________ મહત્સવ પૂર્વક નગરને શણગાર. મંત્રીઓને આ પ્રમાણે આજ્ઞા કરી, કૃષ્ણ પિતાની ગ્રીવા વાંકી કરી જોયું, ત્યાં મસ્તક ઉપર બેઠેલા સેવકોએ સત્યભામાને પુત્ર થવાની વધામણી આપી. “સત્યભામાને પણ એક પુત્રને જન્મ થયો છે " એમ સાંભળી કૃષ્ણ મંત્રીઓને કહ્યું કે, આ સેવકને દ્રવ્ય આપો. સર્વ પ્રાણીઓની બુદ્ધિ ભાગ્યને અનુસરનારી છે. અતિ ગર્વથી વિનાશ થાય છે. અતિ ગર્વ કરવાથી રાવણ નષ્ટ થયો. હવે કૃષ્ણના પુત્રને મહોત્સવ નગરમાં પ્રવર્તી રહ્યા. યાચને ઈચ્છા પૂર્વક દાન આપવામાં આવ્યાં. સર્વે સ્વજન બાંધવોને આદરથી પૂજવામાં આવ્યા. કુલીન સ્ત્રીઓને વિવિધ વસ્ત્રો આપવામાં આવ્યાં. નગરમાં ઘેર ઘેર તેરણ બાંધ્યાં, સર્વ ઠેકાણે દવા પતાકા ફરવા માંડી. સર્વ લેકના ઘરમાં મહત્સવ થઈ રહ્યા. કૃષ્ણ રાજાને પુત્રને લાભ થવાથી તેને હર્ષ ન થાય ? પૂર્વે હસ્તિનાપુર માં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ પ્રભુના જન્મ સમયે દેવતાઓએ જે મહોત્સવ કર્યો હતો તેવા મહોત્સવ અત્યારે દ્વારિકામાં થયેલ હતું. રાજા એ યાચકને અનર્ગળ ધન ઇચ્છા પ્રમાણે આપ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust