________________ બંદીઓના ઇવનિથી રૂકિમણી જાગી ઉઠી, શય્યામાંથી બેઠી થઈ, વિધિથી સ્નાન કરી, આભૂષણ ધારણ કરી, કૃષ્ણની પાસે આવી. કૃષ્ણને નમસ્કાર કરી વામ તરફ બેઠી. પતિએ આગમનનું કારણ પુછયું, એટલે રૂકિમણી બેલી- સ્વામિ નાથ ! આજે રાત્રિના પાછલા પહોરે દિવસના ઉદય વખતે મેં આ પ્રમાણે સ્વપ્નાં જોયાં. તેમનું ફળ કહે. પછી કૃષ્ણ પાસે તે સ્વપ્નાં નિવેદન કર્યા. તે સાંભળી કૃશ્ન બેલ્યા– રાણી ! આ સ્વપ્નાનું ફળ ચરમશરીરી અને આકાશે ગમન કરનારે તમારે પુત્ર થશે. તે વાક્યથી સંતુષ્ટ થયેલી રુકિમણી પિતાના મંદિરમાં આવી. એ વિચક્ષણ રમણી પિતાના ઉલ્લંગમાં પુત્ર આવ્યો હોય તેમ માનવા લાગી, મધુરાજાને જવ જે બારમા દેવલોકે દેવ હતે, તે ચવીને રૂકિમણીના ગર્ભમાં આવ્યો. પૂર્વનાં પુણ્યવડે ચિરકાળ સ્વર્ગનું સુખ ભોગવી, એ રાજાને જીવ રુકિમણીના ઉદરનો આભૂષણરૂપ થયે. એવી જ રીતે સત્યભામાએ પણ સ્વપ્નાં જોયાં. તેણીએ પણ તે કૃષ્ણને જણાવ્યાં. કૃષ્ણ તે સ્વપ્નનું 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust