________________ યોગ્ય સ્થાને બેઠે. લેખ હાથમાં લઈ કૃષ્ણ જે, અને પછી પિતાના મંત્રીના હાથમાં આપ્યો. સર્વ સભા સમક્ષ કૃષ્ણને આનંદદાયક તે પત્ર મંત્રીએ વાં. જેમાં નીચે પ્રમાણે લખ્યું હતું | સ્વસ્તિ શ્રી દ્વારાવતી નગરીમાં શ્રી જિન ભાગવંતને નમી, રાજાઓનો સમૂહ જેના ચરણકમલને સેવે છે, એવા કૃષ્ણને હસ્તિનાગપુરથી શ્રી દુર્યોધન રાજા પ્રણામ કરી આદર ભક્તિ સાથે વિજ્ઞપ્તિ કરે છે. આપની કૃપાથી અહીં અમારે કુશલ છે, ત્યાં સર્વ પ્રકારે તમારી કુશલતા હું ઇચ્છું છું. અમે અહિં રહ્યા છીએ તે પણ તમારા છીએ, એમાં સંશય રાખશો નહીં. હે રાજા ! તમે અમારા પરમ બંધુ છે. મારું એક વચન આપને માન્ય કરવું ઘટે છે. તે સર્વદા હિતકારક છે. તે એ છે કે, આપણ બનેને હવે ભવિષ્યમાં જે સંતતિ થાય તેમનો વિવાહ કરે. કારણ વિવાહ વિધિથી કરેલી મૈત્રી સર્વ પ્રાણુઓને પ્રશંસવા ગ્ય છે. હે નરાધીશ ! જો તમારે પુત્ર થાય, તે મારી પુત્રી તેની પટરાણ થાય. એમ વર કન્યાને અવશ્ય વિવાહ કરે. કદિ મારા પુણ્ય ભેગે મારે પુત્ર થાય અને તમારે પુત્રી થાય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust