________________ 78 વડે એ રમણ ભ્રમરાને નિવારતી હતી. આવું વનદેવીમય સ્વરૂપ કરી રૂક્મિણીને ત્યાં બેસારી, કૃષ્ણ સત્યભામાને ઘેર આવ્યા. આવી કહ્યું કે, પ્રિયે ! તમે રુકિમણુને મળવા ઉત્સુક છે? સત્યભામાં બેલ્યાં– નાથ ! જે તમારી કૃપા હોય તે, મને મારી પ્રિય ભગિની રુકિમણીને મેળા. કૃષ્ણ બેલ્યા- દેવી ! તમે પ્રથમ વનમાં જાઓ, પછી તે આવશે. હું તેમને તેડવા તેણુના ભવનમાં જાઉં છું. એમ કહી કૃષ્ણ વનમાં આવ્યા. કેઈ લતાગ્રહની અંદર કૌતુકથી તેમના રૂપ વનને ગર્વ જોવાને સંતાઈ રહ્યા. કૃષ્ણ ગયા પછી સત્યભામા વનમાં આવ્યાં. ત્યાં રૂપ યવનથી પરિપૂર્ણ અને વિવિધ આભૂષણથી અલંકૃત એવી રૂકિમણી વનમાં અશક વૃક્ષ નીચે બેઠેલી જોવામાં આવી. સત્યભામાએ વિચાર્યું કે, શું આ વનદેવી હશે ? અથવા સિદ્ધ કન્યા, કિન્નરી કે સુરાંગના હશે? વા નાગ લેકમાંથી નાગ વધુ તો નહીં આવી હોય? અથવા ચંદ્રની સ્ત્રી રોહિણી, કામદેવની સ્ત્રી રતિ, બ્રાહ્મી કે લક્ષ્મી તે, નહીં હોય? આ સુંદર બાળા કેણ હશે ? જાણ વામાં આવ્યું. આ તો વનદેવતા મારા પુણ્ય યોગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust