SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તમારે એ પ્રિય તબૂલ મારે માટે લાવી આપવું. મારી રૂકિમણથી ઉત્પન્ન થયેલું, અને મારા પ્રાણનાથના વસ્ત્રને છેડે બાંધેલું તાંબૂલ મને કેમ પ્રિય ન હોય ? સ્વામી ! તેમાં શું હસો છે? કૃષ્ણ બેલ્યા– દેવી ! હવેથી તેમ કરીશ. હું હા સ્ય કરીશ નહીં. એમ કહી કૃષ્ણ ન રહ્યા. થોડી વાર રહી સત્યભામા બેલ્યાં– પ્રિય ! રુકિમણીને મળવાની મારા મનમાં ઇચ્છા છે. કૃષ્ણ કહ્યું, સુંદરી! તમારું વચન સત્ય કરીશ. હું રુકિમણ સાથે તમારે મેલાપ કરાવીશ. જે તમને તે વહાલી હોય તે, પછી શો વિચાર કરવાનું છે ? આ પ્રમાણે કહી ક્ષણ વારે કૃષ્ણ હળવે હળવે નીકળી, રુકિમણના મંદિરમાં પ્રેમ ભર્યા આવ્યા. કૃષ્ણને આવેલા જોઈ રુકિમણી સત્વર બેઠાં થયાં. વિનયથી પિતાના પ્રાણનાથને નમન કર્યું. કુલીન સ્ત્રીઓની એવી જ મને ચંદા હોય છે. કૃષ્ણ બેલ્યાદેવી ! મારું વચન સાંભળે. તમે શ્વેત વસ્ત્ર ઓઢે. તેમાં રાતી કાંચળી પહેરે. સર્વ અલંકાર ધારણ કરો. એવું દિવ્ય રૂપ ધરી મારા કહેવાથી સત્યભામાના વનમાં જાઓ. " પ્રભુનું વચન પ્રમાણ છે” એમ કહી રૂકિમણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy