________________ તો હવે તે નિદ્રા તમારા ઘરમાં લેવી છે. અહીં માને નિદ્રા સારી આવશે. સત્યભામાં બેલ્યાં– ખરેખર તમે નિદ્રાથી ભરેલા છે. તે નવી વહુ તમને સુખે નિદ્રા કરવા દેતી નહીં હોય. હે મધુસૂદન ! તમારે તે નવી વહુને જ સંતોષવી. મેં ઘણા કાળ ભોગ ભોગવ્યા. હું તમને કાંઈ કહેતી નથી. તમે જ્યારે કંટાળી જાઓ, ત્યારે તમારે મારે ઘેર આવી પ્રતિ દિવસ શયન કરવું. હું ખરેખરી તમારી હિતેચ્છું છું. કૃષ્ણ બોલ્યા- દેવી ! તમે મારૂં હિત કેમ ન કરો? નવીઓ તો ઘણું થાય, પણ તમે મારી અગ્રણી પ્રિયા છે. આ પ્રમાણે કહી કૃષ્ણ પિતાનું મુખ કમલ વસ્ત્રથી ઢાંકી, મનમાં કપટ રાખી નિદ્રા કરવા લાગ્યા. તે વખતે રૂકિમણીના તાંબૂલનું ચવિત જે કૃષ્ણ પોતાના ઉત્તરીય વસ્ત્રને છેડે બાંધ્યું હતું, તેની સુગંધથી ભમરાઓ ત્યાં આવી ઉડવા લાગ્યા. તે ગાંઠની આસપાસ ભમરાઓની શ્રેણી જેઈ સત્યભામાને અતિશય કેપ ચડી આવ્યો. તે એ ચિંતવ્યું કે, આ કાંઇક સુગંધી વસ્તુ રૂકિમણી માટે વિશ્વને છેડે બાંધી રાખેલ છે. કૃષ્ણ મારે ઘેર આવ્યા તે પણ, તે વસ્તુ મને આપી નહીં. 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust