________________ એવા બળદેવ, કૃષ્ણના મંદિર પાસે આવેલા પિતાને ના ઘરમાં ગયા. પિતાને ઘેર જઈ બળદેવ સુખી થયા. લેકમાં જે પુરૂષ સ્વગ્રહ આવે, તે સુખી અને ને કૃતાર્થ થાય છે. કૃષ્ણ રુકિમણીને નવ ભૂમિકા વાળું, ધન ધાન્યથી ભરેલું, દાસ દાસીઓથી પૂર્ણ, રથ વાહનેયુક્ત, હાથી ઘેડા અને વિવિધ આયુધથી ભરપૂર તથા આભૂષણથી ભૂષિત એવું એક સુંદર રાજ્ય મંદિર આપ્યું. સ્નાન, ભજન, આ સન, શયન અને બીજી સર્વે કિયા તે ઘરમાં જ કૃ ષ્ણ કરવા લાગ્યા. બીજે કઈ ઠેકાણે કરતા નહીં. એ ગુણવતી રુકિમણી કૃષ્ણના મન, વચન અને શરીરમાંજ વસી ગઈ. . - હવે સત્યભામાં કૃષ્ણના વિરહથી પીડિત થઈ કૃશ થવા લાગી. તથાપિ મનમાં અહંકાર લાવી કોઈ પણ ગણતી નહોતી. શ્રી કૃષ્ણરૂપ ભ્રમર રૂકિમણીના મુખ કમલ ઉપર ફરતાં, તે તે મન વચનથી સુખ સાગરમાં મગ્ન થઈ ગઈ. સત્યભામાને દુઃખી તથા વિરહાગ્નિથી દગ્ધ થતી જોઇ મનવાંચ્છિત થવાથી નારદજી આનંદ માનવા લાગ્યા. તે વારંવાર સત્યભામાને જઈ કહેતા કે, તે જે વક્ર કામ કરેલું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust