________________ પપ તમારે આ પ્રમાણે વનમાં જવું નહીં. રાજાની આ જ્ઞા પ્રમાણ કરવી. તે કાળે કુઈબા બોલી ઉઠયાં. સાંભળે. રાજકુમારી રુકિમણીએ કામદેવના વનની યાત્રાએ જવાની માનતા કરી છે. ભદ્ર! એક વખતે આ બાળા સખીઓની સાથે મળીને એ વનમાં ગઈ હતી. ત્યાં મનહર કામદેવની મૂર્તિ જોવામાં આવી. તે દેવને પ્રણામ કરી રૂકિમણીએ માનતા કરી કે, “હે દેવ ! જે શિશુપાળ રાજા મારા સ્વામી થાય તે, લગ્નને દિવસે તમારા વનમાં યાત્રા કરવા હું આવીશ. " રુકિમણીએ એ વરની ઇચ્છાથી આ પ્રમાણે માનતા કરી હતી. તેણીના ભાગ્ય ચગે શિશુપાળ ઉત્તમ પતિ મળ્યા, તેથી આજે લગ્ન દિવસે તેની યાત્રા માટે જાય છે. ત્યાં જઈ એ દેવ પાસે શિશુપાળ રાજાની કુશળતા માગશે. સર્વ સ્ત્રીઓ પતિ પુત્રની કુશળતા ઈચ્છે છે. આવાં ભી- - મક ભગિનીનાં વચન સાંભળી તે સેવકોએ શિશુપાળ પાસે આવી તે સર્વ વૃત્તાંત જણાવ્યું. તે સાંભળતાંજ રાજાના મનમાં અપાર હર્ષ થયા. પતિ ઉપરના સ્નેહની ઈચ્છા જોઈ રુકિમણીના ગુણની પ્રશંસા કરી. પછી તે આનંદથી બોલ્યો- જાઓ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust