________________ 54 વ્યાં. તેણીએ પુછ્યું કે, બાળા ! કેમ મુખ ઉપર ગ્લાનિ લાવે છે ? રૂકિમણ બોલી- પૂજ્ય ફુઈ બા ! ચેદિપતિ શિશુપાળે નગરને ચારે તરફ સૈન્યથી ઘેરી લીધું છે. હવે મારાથી વનમાં શી રીતે જઈ શકાશે ? રૂકિમણુનું આવું દીન વચન સાંભળી ભીષ્મક રાજાની સહેદરા જરા વિચાર કરી બેલી બેન ! મનને દુઃખી કરીશ નહીં. હું એવો પ્રયત્ન કરીશ કે, જેથી સર્વ જોતાં તારૂં ગમન વનમાં થશે. આ પ્રમાણે મધુર વચનથી સાંત્વન કરીતેણીએ સદ્ય ઉપાય શોધવા માંડ્યો. ક્ષણવારમાં તે ઉપાય શોધી કાઢયો. સ્ત્રીઓની બુદ્ધિ બહુધા તાત્કાળિક હોય છે. પૂજાને ઉપહાર લઈ રુકિમણીની સાથે ભીષ્મક રાજની બેન, વાઘ અને ગીતના નાદ સાથે નગર બહાર નીકળી. તે જોઈ શિશુપાળના સૈનિકોએ તેમને અટકાવ્યાં, અને રાજાને તે જાહેર કર્યું. મહારાજ ! રૂકિમણી કન્યા પરિવાર સાથે નીકળી કે વૃક્ષવાળા વનને સ્થળે જાય છે. તે સા ભળી શિશુપાળે હુકમ કર્યો કે, સત્વર રાજકન્યાને વનમાં જતી અટકાવે. તત્કાળ તેમણે જઇને રાજકન્યા રૂમિણને સપરિવાર અટકાવી, અને કહ્યું કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust