________________ 47 નથી સંતુષ્ટ થઇ વિવેકવડે તે રૂકિમણીને રાજા શિશુપાળને આપેલી છે. પોતાના સ્વજન બાંધવોને પુછયા વગર માત્ર ગર્વથી એ કામ કરેલું છે. તેના સ્વજનોએ શિશુપાળની યેગ્યતા જોઈ અતિ ભક્તિથી તેનું વાક્ય સ્વિકાર્યું છે. યોગ્ય કોને રૂચે નહીં ? હવે તે સ્વજનોએ મળી જેવીને બેલાવી તે ચેદિ રાજા શિશુપાળની સાથે તેણીનું લગ્ન લીધેલું છે. માઘ માસની શુકલ અષ્ટમીને દિવસે તેમનાં નિર્દોષ લગ્ન થવાનાં છે. આ અરસામાં મુનિ નાયક નારદજી આવી ચડ્યા. પ્રથમ રાજાને મળી અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં રાજા ભીષ્મકની એક વિધવા બેન છે, જે ચતુર, રાજાની માનેલી અને અંતઃપુરમાં પ્રવીણ ગણાય છે, તેણીએ ભક્તિથી નમ્ર થઈ નારદજીની પૂજા કરી. પછી બીજી સર્વ સ્ત્રીઓ નારદજીના ચરણમાં નમી. સુખાસન ઉપર બેસી નારદજીએ તેમને કુશળ વાર્તા પુછી. તે સમયે એ રૂકિમણું આગળ રહેલ નારદજીના જોવામાં આવ્યાં. નારદજીએ ભીષ્મક રાજાની બેનને પુછયું કે, આ આગળ રહેલી બાળા કેની પુત્રી છે? ભીષ્મક રાજાની અનુજ બેન બોલ્યાં– સ્વામી ! આ રૂપવતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust