________________ કયાંથી આવો છો? અને કોણે મોકલ્યા છે? આ પ્રમાણે પ્રતિહારના પુછવાથી દુત બે - હું વિદેશમાંથી આવેલે વિદેશી દુત છું. પ્રેમ બંધનરૂપ ઉત્તમ કાર્ય ઉદેશીને અહીં આવ્યો છું. પ્રભુની પાસે જઈ મારૂં આગમન જણાવો. દુતનાં આવાં વચન સાંભળી પ્રતિહાર કૃષ્ણ પાસે આવ્યો. નારાચણને નમન કરી ભક્તિથી દુતનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. કૃષ્ણ પ્રતિહારને કહ્યું, તેને માનથી મારી પાસે સત્વર લાવો. પછી પ્રતિહાર દુતને સભામાં લાવ્યા. વિષ્ણુની સભા જોઈ દુત હર્ષથી પરિપૂર્ણ થઈ ગયા. કૃષ્ણને નમી, તેમણે દર્શાવેલ આસન ઉપર બેઠે. તે સંજ્ઞા કરી કૃષ્ણ રાજાને જણાવ્યું. પછી કૃષ્ણ પ્રતિહારની સામું જોઈ સંજ્ઞા કરી, એટલે પ્રતિહારે સભાને વિસર્જન કરી. સભા વિસર્જન થયા પછી કૃષ્ણ રાજાએ દુતને આગમનનું કારણ પુછયું. તત્કાળ તે વિચક્ષણ દુત બોલ્યાસ્વામી ! એકાંતે મારું કથન સાંભળે. તે સાંભળવાથી તમારા હૃદયમાં હર્ષ થશે. પછી કૃષ્ણ તેનાં વચનથી બળદેવ સાથે રહી મંદિરનાં દ્વાર બંધ કર્યા. બન્ને ભાઈ પ્રેમથી યોગ્ય સિંહાસન ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust