________________ 41 વળી ક્ષણમાં ચંચલ થાય છે. કૃષ્ણના પુછવાથી પરમ હર્ષ પામી નારદજી બોલ્યા- હે મહાભાગ ! સાંભળે. મનને દુઃખી કરશે નહીં. આ રૂપ દેવતાનું, ગંધર્વનું, વિધાધરનું કે બીજા કોઈનું નથી. હે કંસારે ! આ રૂપ મનુષ્યનું છે. કુંદનપુર નગરમાં ભીષ્મક નામે રાજા છે. તેને શ્રીમતી નામે પૃશ્વિમાં વિખ્યાત પ્રિયા છે. તેને રૂકિમણી નામે પૃથ્વિમાં લક્ષણ ગુણની નિધાનરૂપ પુત્રી છે. તે આ ચિત્રમાં આળેખેલ છે. મેં સમુદ્ર પર્યત પૃથ્વિ તલ જોયું, વિદ્યાધરનાં તથા રાજાઓનાં ઘર જયાં પણ રૂકિમણીના એક ચરણના અંગુઠા જેવી પણ કોઈ સ્ત્રી જોવામાં આવી નહીં. આ ભૂતલ ઉપર તેણીના જેવી રૂપવતી કઈ ભામિની નથી. તે સુંદરીને નિમાણ કરી વિધાતા પોતાને કૃતાર્થ માને છે. તેવી સુંદરી પ્રાપ્ત કરીને તમે કૃતાર્થ થશો. અન્યથા કૃતાર્થ થશો નહીં. એ ગુણભૂષિત બાળા જ્યાં સુધી તમારે ઘેર આવી નથી, ત્યાં સુધી તમારે " હું પરણ્ય છું” એમ કદિ બલવું નહીં. જ્યારે તમારા ઉત્સંગમાં એ લોક વિખ્યાત રમણી રમશે, ત્યારેજ તમારો અવતાર સંસારમાં પ્રશંસા પાત્ર થશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust