________________ માંડે, તેવામાં મનોહર સ્ત્રીનું સ્વરૂપ જોવામાં આવ્યું. એ તવંગીનું ચિત્રમાં રૂપ જોઈ કૃષ્ણ વિસ્મય પામી ગયા. જાણે તેણએ ચોરી લીધા હોય, જાણે પટમાં આખ્યા હોય, તેમ દેખાવા લાગ્યા. ક્ષણ વાર તેમ રહી પછી તેણે ચિત્તમાં ચિંતવ્યું કે, આવું સુંદર રૂપ નારદજી કયાંથી લાવ્યા ? આવી રૂ૫ લાવણ્યવતી સુંદરી વિધાતાએ કેમ સજી હશે? આવી સુંદરી જગતમાં થઈ નથી અને થશે પણ નહીં. આ સુંદરીની કેશ વેણીએ મયૂરવૃંદનો પરાજય કર્યો છે. તેણીના લલાટે અષ્ટમીના ચંદ્રને ફિકકો પાડે છે. તેના મુખે ચંદ્રને, નાસિકાએ શુકની ચંચને, નેત્રાએ હરણીના નેત્રને, ભ્રકુટીએ કામદેવના ધનુષ્યને, કંઠે શંખને, સ્વરે કોયલને, સ્તનોએ શ્રીફળને, બાહુએ પુષ્પમાળાને અને કટીએ કેશરીને ઝાંખા કર્યા છે. આ બાળા ઉદરના ભાગથી મનોહર છે. જાણે લાવણ્ય જળની વાપિકા - ય, તેની તેવી નાભિ છે. નિતંબથી તે પ્રઢ છે. તેણીના સાથળે કદલીના સ્તંભ જેવા છે. વર્તુળાકાર તેણના જાનુ છે. ચરણથી તે મનોહર છે. તે ના હાથ પગે કમલ સમૂહને જીતી લીધેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust