________________ 38 કૈલાસ પર્વત ઉપર પાછા આવી બેસીને તેણે એક ઉત્તમ પટ ઉપર રૂકિમણીનું સુંદર રૂપ ચિતર્યું. તે ચિત્રપટ સંકેલી હર્ષ પામતા નારદજી વેગથી દ્વારિકામાં આવ્યા. સભામાં બેઠેલા કૃષ્ણ નારદજીને આ કાશ માર્ગે આવતા જોયા. નજીક આવ્યા એટલે ષ્ણ રાજાએ ઉભા થઈ અભ્યત્થાન કરી પોતાનું સિંહાસન આપ્યું. નારદજી કૃષ્ણને આશીર્વાદથી સંતોષી સિંહાસન પર બેઠા. નેહથી પૂર્ણ અને મનમાં અતિ પ્રીતિ ધરતા તે વિચક્ષણ કૃષ્ણ અને નારદજી પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. અવસર જાણ કૃષ્ણ કહ્યું– નારદજી ! મારા મનમાં તમને પુછવાની ઈચ્છા થાય છે. મહામુનિ ! આ અઢી દ્વિપ લેકમાં સર્વત્ર તમારી ગતિ છે. કોઈ ઠેકાણે કાંઇ અપૂર્વ વિનોદ જોવામાં આવ્યો હોય તે કહી સંભળાવે. અથવા મારા લાયક કાંઈ સુખડી લાવ્યા હો તે આપ. તમે મારા પરમ મિત્ર છે. તમારા જેવો બીજો મિત્ર મારે નથી. કૃષ્ણનાં આવાં વચન સાંભળી નારદજી સંતોષ પામ્યા. કાંઈ વચનથી ઉત્તર આપ્યો નહીં. માત્ર પેલે ચિત્રપટ પ્રસારીને કૃષ્ણની આગળ છે. કૃષ્ણ હર્ષથી ચિત્રપટ જોવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust