________________ ય તેથી શું? પણ પિતાનો ભક્ત એકજ સત્ય થાય તે બસ છે. રાજા બે - વત્સ ! તું સુમારા બાળક છે. ધર્મયુદ્ધમાં તારે અભ્યાસ નથી, તેથી તારે ત્યાં જવું યોગ્ય નથી. કુમારે કહ્યું– તાત! મારું વચન સાંભળે. પુરૂષનું સત્વ જોવાનું છે, શરીરનું પ્રમાણ જોવાનું નથી. જુઓને, હાથીનું સ્થળ ઘણું મોટું છે, અને સિંહ કૃશ શરીરવાળ તથા નાનો છે. તથાપિ સિંહના એક નાદથી ક્ષણમાં સેંકડો હસ્તી નાશી જાય છે. સર્વ વસ્તુ તેજથી સાધ્ય છે. તેમાં શરીરનું મેટાપણું કે ઉ મ્મર જેવાની નથી. તેથી પિતાજી ! હું શત્રુઓને ક્ષણમાં જીતી લઈશ. પુત્રનાં આવાં વચન સાંભળી ભીષ્મક રાજા સંતુષ્ટ થયો. મોટા સૈન્ય સાથે શુભ શુકને સજ્જ થયેલા કુમારને મોકલ્યો. રૂપકુમાર ત્યાંથી જઈને ચેદિ દેશના રાજા શિશુપાળને મળે રાજાએ સન્માન પૂર્વક તેનું બહુ માન કર્યું. તેને સાથે લઈ.. શિશુપાળ યુદ્ધ કરવા ગયો. શત્રુઓને મારી ખંડણું લઈ ચેદિપતિ પોતાના રાજ્યમાં આ વ્યિો. કુંદનપુરના રૂપકુમારના સાનિધ્યથી શિશુપાળે યુદ્ધમાં જીત મેળવી, તેથી તે રાજાને અતિ વલ્લભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust