________________ પધાર્યા તે સારૂ કર્યું. આપે ચરણ કમલથી અમારા મંદિરને પવિત્ર કર્યું. પુણ્ય વગર આપ જેવા પુરૂષ પ્રાણુને મળતા નથી. આટલું કહી તેણીએ ભીષ્મક રાજાની રાણીઓ પાસે નારદજીને પ્રણામ કરાવ્યા. પ્રણામ કરતી રાજયુવતિઓને નારદજીએ આશીર્વાદ આપી સંતુષ્ટ કરી. પછી નારદજી પુણ્યાત્મક વાર્તા કરતા હતા, તેવામાં આગળ રહેલી રૂમિણી નામે રાજકુમારી જોવામાં આવી, નારદજીએ ભીષ્મક રાજાની અનુજ બેનને પુછયું કે, આ મનોહર બાળા કેની છે ? તે બોલી-મહારાજ ! આ બાળા મારા બંધુ ભીષ્મક રાજાની પુત્રી રૂકિમણી છે. એમ કહી તેની પાસે નારદજીના ચરણમાં વંદના કરાવી. મુનિએ સર્વથી અધિક એવી આશિષ આપી કે, હે વત્સ ! તું દ્વારિકાના રાજા કૃષ્ણની પટરાણી થા. મુનિનું આ વચન સાંભળી રુકિમણી હૃદયમાં ચકિત થઈ ગઈ, અને પોતાની વિધવા પુઈનું મુખ વિસ્મયથી જેવા લાગી. કુઈને સમશ્યાથી પુછયું કે, આ નારદજીએ મને શું કહ્યું? અનંતર તે બાળાએ નારદજીને પુછયું, હે મહારાજ ! આપે મને શું કહ્યું ? તે કૃષ્ણ રાજા કેણ છે ? તેનો ક્યાં નિવાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust