________________ રાજ ચિન્હોથી અલંકૃત ભીષ્મક નામે માન્યવર રાજા હતો. તેને કપટ વિનાની અને રૂપ સંપત્તિથી પ્રસિદ્ધ શ્રીમતી નામે ગુણવતી રાણી હતી. તે રાત જાની સભામાં નારદજી ઉતરી આવ્યા. નારદજીને જોતાંજ રાજા ઉભે થે. વિનયથી અભિનંદન આપી પોતાને આસને બેસારી પ્રણામ કરી પોતે બીજે આસને બેઠા. ભીષ્મક રાજાને વિનીત જોઈ નારદજીએ કુશળ પ્રશ્ન પુછો. મુનિ રાજા સાથે નેહાલાપ કરતા હતા, ત્યાં રાજાની પાસે તેનો એક સુંદર કુમાર જોવામાં આવ્યા. તે રાજકુમારને જોઈ નારદજીએ વિચાર્યું કે, જે આ કુમારને બેન હોય તે તે તેના કરતાં રૂપવતી અને ગુણવતી હશે. જે તે ચોગ બની જાય છે, મારા સર્વ મનોરથ સફળ થાય. આ પ્રમાણે ચિંતવી મુનિએ રાજા ભીષ્મકને પુછયું. હે રાજન ! જે આપણી પાસે બેઠા છે, તે પુત્ર કોના છે? રાજાએ નીચું મુખ કશ કહું– મુનિશ્વર ! આપના પ્રસાદથી તે મારે પુત્ર છે. મુનિ બોલ્યા– નરેદ્ર ! બહુ સારી વાત છે, તમારે આ કુમારની માતાથી કેટલાં સંતાન છે ? રાજા - સ્વામી ! માત્ર બે સંતાન છે. એક આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust