________________ ચિંતવી નારદજીએ તે વિચાર માંડી વાળ્યું. અને ફરી બીજે વિચાર કરવા માંડે. ચિરકાળ વિચાર કરતાં વિચિત્ર બુદ્ધિ ઉત્પન્ન થઈ. મનનું દુઃખ નાશ થવા ચિત્તમાં સત્ય જ્ઞાન ઉદય આવ્યું. નારદજીએ વિચાર્યું કે, સ્ત્રીઓને ખરેખરૂં મોટું દુઃખ [ શક્ય ] સપત્નીનું છે. તેના જેવું બીજું દુઃખ થતું નથી, અને થાય પણ નહીં. સપત્નીના દુઃખ જેવું વિધવાપણાનું દારિદ્રનું કે વંધ્યાપણાનું દુઃખ નથી. વારંવાર આ પ્રમાણે વિચાર કરતાં પોતાના હૃદયમાં તે વિચાર નિશ્ચલ થયો. બહુ બહુ રીતે વિચાર કરી આખર મનને દ્રઢ કરી અઢી દ્વિપ ભૂમિ જેવાને તત્પર થયા. મુનિ નારદજી મનમાં તે કાર્ય કરવાનો નિશ્ચય કરી સત્યભામાની સપત્નીના શેને માટે બાર નીકળી પડ્યા. અર્ધ વિજયમાં જઈ સર્વ રાજધાનીઓ જોઈ, અને પ્રત્યેક રાજાઓને આદરથી મળ્યા. ભુવનાંતરમાં પ્રવેશ કરી વિદ્યાધરેના અધિપતિઓને પુછવા માંડ્યું. તેમનાં અંતપુર જોતાં જુદે જુદે સ્થળે ફરવા લાગ્યા. ફરતા ફરતા કઈ વિદ્યાધરના મંદિરમાં અવિવાહિત સુંદર કન્યા જોવામાં આવી. પરંતુ તે સત્યભામાના એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust