________________ 225 અને ગુરૂ ભક્તિમાં પરાયણ થઈ, જૈન શાસ્ત્ર ભણવા લાગ્યા. પૂર્વ પુણ્યના ગે શાસ્ત્રસાગરને પાર પામી સમાધિથી કાળ કરી, સર્વે દેવલોકમાં ગયા. જે ચંદ્રપ્રભા હતી, તે પૂર્વનું પુણ્ય સ્વર્ગમાં ભોગવી પિતાના મલીન કર્મથી ચવીને વિજયાર્ધગિરિમાં આવેલા ગિરિપત્તન નગરના " હરિ નામના રાજાને ઘેર તેની “હરિવતી નામની પ્રિયાના ઉદ૨માં અવતરી. તે મેઘકૂટ નગરના રાજા કાળસંવરની કનકમાળા નામે સ્ત્રી થઈ. જે મધુ રાજા હતો, તે દેવલોકમાં દિવ્ય સુખ ભેગવી, અ યુષ્યને ક્ષય થતાં દ્વારાવતી નગરીના યાદવવંશી રાજા હરિ [ કૃષ્ણ ] ની સ્ત્રી રૂકિમણીના ઉદરમાં પુત્રરૂપે અવતર્યો. જે મધુનો અનુજ બંધુ કૈટભ હતા, તે પણ હરિકૃષ્ણની જાંબવતી નામની સ્ત્રીમાં ઉત્પન થશે. રાજા હેમરથ સ્ત્રીના વિયેગના અતિ દુઃખથી મૃત્યુ પામી, ચિરકાળ દુઃખ સાગર સંસારમાં ભમી નિચ નિમાં ચિરકાળ ભ્રમણ કરી, " ધૂમકેતુ” નામે અસુરેનો નાયક થયો. તે ધૂમકેતુ એક વખતે અર્ધ રાત્રે વિમાનમાં બેસી લીલાથી ફરતા ફરતે દ્વારકા નગરી ઉપર દૈવ વેગે આવી ચડ્યો. રાજ્ય મહેલ ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust