________________ ધર્મ સંભળાવે મુનીંદ્ર બોલ્યા– રાજેદ્ર ! સાંભછે. શ્રી જૈન ધર્મ દશ પ્રકારનો કહે છે. તે હું સંક્ષેપમાં કહું છું. જે ધર્મના પ્રભાવથી ભવિ મા ને સ્વર્ગ તથા મેક્ષનું સુખ દૂર નથી, તે બીજાની તો શી વાત કરવી ? સમ્યકત્વ પૂર્વક એવા એ ધર્મમાં બાર વ્રત છે. તે વિદ્વાન બ્રાવકોએ ભતિથી પાળવાં જોઈએ. આ સંસાર અસાર અને દખદાયી જાણી ભવિ જીએ શ્રી જિનેંદ્રના મુખ માંથી ઉત્પન્ન થયેલે ધર્મ આદર કરવા યોગ્ય છે. ધન, ધાન્ય, કોશ, વિવિધ રત્નો, સ્ત્રી, પુત્ર, અને કુટુંબ વિગેરે સર્વ અસાર છે. આ પ્રમાણે મુનિનો " ઉપદેશ સાંભળી મધુ રાજાને પરમ વૈરાગ્ય ઉત્પન્ન થયો. પિતાનું રાજ્ય પોતાના અગ્રજ બંધુ શ્રતને સેંપી, પોતે મુનીંદ્રની પદવીને પ્રાપ્ત થયો. તેની સાથે તેની અચ મહિષી [ પટરાણ ] એ પણ દિક્ષા લીધી. મધુ રાજાને અનુજ બંધુ જે કૈટભ હતે, તેણે પણ પોતાની સ્ત્રી સાથે વ્રત ગ્રહણ કર્યું. બંનેમાંથી ભ્રષ્ટ થએલી ચંદ્રપ્રભાએ અતિ ભકિતથી જૈન દિક્ષા ગ્રહણ કરી. તેઓ સર્વે વૈરાગ્યથી મનને મારી, ઉગ્ર તપ કરવા લાગ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust