________________ 214 ઈષ્ટ અને રાજ્ય સાર્થક થયાં, એમ માનવા લાગે. ચંદન, અગરૂ, પંક અને વાપિકાઓના જળથી કીડા કરવા લાગ્યો. કોઈ વિવિધ વનના વિહારથી, હીંડોળાથી અને મધુર સંગિતના વિનોદથી તેણીની સાથે આનંદ લેવા લાગ્યો. સુખસાગરમાં મગ્ન થએલા તે બંને ગત કાળને જાણતા નહતા. છેવટે મધુ રાજાએ તેને પટરાણનું પદ આપ્યું. ' ' હેમરથ રાજાએ જે મંત્રીઓ અને અંતઃપુરના રક્ષકો ચંદ્રપ્રભા સાથે મેકલેલા હતા, તેઓ વટપત્તનમાં સત્વર પાછા આવ્યા. તેમણે હેમરથ રાજાને તે વિપરીત વૃત્તાંત જણાવ્યું. રાજા હેમરથ પિતાની પ્રાણલાલભાનું મધુ રાજાએ હરણ કર્યું, તે વાર્તા સાંભળી બંછા પામી પૃથ્વી ઉપર ઢળી પડયો. રાજ લકોએ શીત ઉપચાર કરી, તેને ક્ષણ વારમાં સાવધાન કે. રાજા સંજ્ઞા પામી ક્રોધથી રાતાં નેત્ર કરી, મંત્રીઓ પ્રત્યે ઓલ્યા - જોઈ શું રહ્યા છો? સિન્ય તૈયાર કરે. અયોધ્યા નગરીમાં સત્વર જઇ, મધુ રાજાને જીતી મારી પ્રાણવલ્લભાને લાવો. મંત્રીઓ બેલ્યા- હામી ! મધુ રાજા બળવાન છે, તે આપણાથી જીરઈ શકાશે નહિ. મંત્રીનું આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust