________________ 215 વચન સાંભળી હેમરથે મનમાં વિચાર્યું કે, એ સત્ય છે, મધુ રાજા દુઃસાધ્ય છે. ચિરકાળ ચિત્તમાં તે ચિંતવન કરતો હેમરથ કામ પીડિત થઈ, દુઃખવડે વિદ્ગલ થઈ ગયો. કોઈ વાર શુન્ય થઈ હસતે, કઈ વાર ઘરમાં ફર્યા કરતે, અને કોઈ વાર સભા વિચારવાતને ગ્રસ્ત થયેલું તે કઈ વાર મંદિરના ગોખ ઉપર બેસી સર્વ તરફ શૂન્ય થઈ જતો હતો. પ્રિયા વગરનું શૂન્ય ગૃહ જોઈ, તે મુક્ત કઠે રૂદન કરતે હતે. હે પ્રિયા ! હે દયિતા ! હે પ્રાણવલ્લભા ! મારા પ્રમાદથી તે પાપીએ તારૂં હરણ કરેલું છે. હવે હું શું કરું ? કયાં જાઉં? શું પુછું ? અને શું કહું ? આવાં વચન બોલ્યાં કરતો હતે. એમ કરતાં તે એક વાતલ થઈ નગરમાં ભમવા લાગે. દુષ્ટ કામદેવરૂપ પિશાચે પરવશ કરેલ, તે છેવટે પિતાનું રાજ્ય છોડી, પૃથ્વીપર ભટકવા લાગે. તેની પાછળ છોકરાઓનાં યુથ ફરતાં હતાં. હે પ્રિયા ! એવો શબ્દ કરતે નગર અને વનમાં વસ્ત્રના ભાન વિના મૂઢ થઈ ભમવા લાગ્યું. તેનું ગાત્ર ધુળથી ધુંસરું થઈ ગયું હતું. કેશ વીખરાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust