________________ 27 ને સુગંધી સંપત્તિવડે અને રજથી તે વ્યાપ્ત હતું. હરિચંદન, કપૂર અને કુંકુમ વિગેરે સુગંધી વસ્તુથી પૂર્ણ એવી સેંકડો વાપિકાઓ ત્યાં આવી રહેલી હતી. રેશમી અને કણબી વિવિધ જાતનાં તેરણે બાંધી વનને વિશેષ સુશોભિત કર્યું હતું. આવી રીતે વનને શણગારી રાજા મધુ પોતાના અંતઃપુરથી પરિવૃત થઈ બીજા રાજાઓને સ્ત્રી સહિત સાથે લઈ હર્ષથી કીડા કરવાને તેમાં ગયો. રાજા વનમાં આવતાં જ લતાઓના પલ્લવથી, પુપાથી, ભમરાના ગુંજારવથી, કોકિલાના ધ્વનિથી, આંબાઓની મંજરીથી તેને અર્થ આપી તે માન પામતો હોય એમ દેખાવા લાગ્યો. તે . . થોડી વારે મધુ રાજા મનહર કીડા કરવા લાગ્યા. કુંકુમથી વાસિત એવા જળવડે જળયંત્ર [ પીચકારીઓ ] ભરી ઉછાલવા માંડી. વારાંગનાઓનો સમૂહ. રાજાની સામે રમે છે, તથાપિ પેલી મનમાં વસેલી સ્ત્રીના વિરહથી રાજાને જરા પણ આનંદ આવતો નથી. બીજા રાજાઓ પણ પિત પિતાની રાણીઓ સાથે વિવિધ જાતની કીડા કરતા હતા. એવી રીતે રાજા મધુએ અંતઃપુર સાથે એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust