________________ 197ii બેઠો છે. લેકોએ ભય પામી દરવાજા બંધ કર્યો છે. મધુ રાજા નગર બહાર પોતાના મોટા સૈન્ય સાથે ગાજે છે. તે સાંભળી ભીમ ગર્વથી - નગર જનોએ શા માટે દરવાજા બંધ કર્યા ? એક વરાક-દીન આવે તેમાં દરવાજા બંધ શા માટે કરવા ?. હું હમણાં જ બહાર નીકળી યુદ્ધ કરીશ. આ પ્રમાણે કહી ભીમ રાજા વેગથી મોટી સેના લઈ બહાર નીકળ્યો. ચતુરંગ સેના લઈ બહાર આવેલા ભીમને જોઈ, મહા બળવાન મધુ સામો થચિ. બને ઉદ્ધત અને શૂરવીર રાજા તુમુલ યુદ્ધ કરવા સામે સામા મળ્યા. વાજિંત્રના શબ્દોથી, બંદી જનના જય નાદથી રથના ચિત્કારથી, અના ખુંખારાથી, હાથીઓના ઘંઘાટથી, સુભટોના અટ્ટહાસથી અને ધનુષ્યોનાં ટંકારવથી કાંઈ પણ કાને સંભળાતું નહોતું. તે સમયે કાયર પુરૂષના હાથમાંથી હથીઆર પડી જવા લાગ્યાં. અને શૂરવીરેના શરીરમાં રોમાંચ ખડાં થવા લાગ્યાં. બળથી ઉદ્ધત અને સૈન્યએ મહા યુદ્ધ કરવા માંડ્યું. પરસ્પર વધ થવા લાગ્યા. ભાલાં, ખગ, બાણ, ચક, મુર, બરછી, નારાચ, ભીંદિપાલ, હલ, શ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust