________________ 196 મારે આ મારું કાર્ય અવશ્ય કરવું, એવું વચન આપો તે, સ્વસ્થ થાઉં. પછી મંત્રીએ રાજાને વચન આપ્યું, એટલે મધુ અસ્વસ્થ થયો, અને તે સર્વ સૈન્ય લઈ યુદ્ધ માટે આગળ ચાલ્યા. મંત્રીના આગ્રહથી રાજા હેમરથની સાથે સમગ્ર સૈન્ય લઈ, મધુ પ્રયાણ કરવા લાગે. પર્વતના શિખરને પાડતે, સરિતાઓને શેષતો અને વૃક્ષને ભાંગ, મધુ રાજા એ મોટા સૈન્ય સાથે અર્ધ રાત્રે આવી શગુના નગરને ઘેરી લીધું. વાજિંત્રોના શબ્દથી નગરમાં કોલાહલ થઈ રહ્યા. નગરના લોકે આકુલ વ્યાકુલ થઈ ભય વડે કંપવા લાગ્યા. તે કોલાહલ સાંભળી ભીમ રાજાએ મંત્રીને પુછયું કે, નગરમાં આ કોલાહલ કેમ થાય છે ? મત્રી બે - મહારાજા ! મધુ રાજા મોટું સૈન્ય લઈ ચડી આવ્યો છે. ભીમ રાજા - મંત્રી ! વૃથા બેલ નહીં. મારી ઉપર ચડી આવનાર જગતમાં કોઈ નથી. શું કદિ ક્યારે સાંભળ્યું છે કે, સિંહ ઉપર મૃગલાંની શ્રેણ, મૃત્યુ ઉપર પ્રાણીઓ, અને ગરૂડ ઉપર સર્પો આવે? મંત્રી બેલ્યો - સ્વામી ! એ વાત સત્ય છે. મધુ રાજા આપણું નગરને ઘેરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust