________________ 195 આ લેક નિંદિત કાર્ય મનથી પણ કરવું નહીં. અમાત્યનાં વચન સાંભળી મધુ રાજા બેલ્યોમંત્રી ! તે વાત સત્ય છે, પણ તે સુંદરી વિના મને એક ક્ષણ પણ ગમતું નથી. જો તમારે મારા જીવિતનો ખપ હોય તે જે કંઈ ઉપાય કરીને તે બાળા પ્રાપ્ત કરી. તે સુંદર રમણ વિના મારે રાજ્ય, ધન, સૈન્ય, બળ અને સર્વસ્વનું પણ કાંઈ પ્રયોજન નથી. મધુ રાજાને તેણમાં આ આસક્ત જાણી મંત્રી તેના ચિત્તનું સમાધાન કરવા બેલ્યો- સ્વામી ! હમણું તેને પ્રેમ છોડી દો. ને આ પર સ્ત્રીની વાર્તા રાજાઓ કે સુભટો સાંભળશે તે, તેઓ વ્યગ્ર ચિત્તવાળા થઈ પાછા ચાલ્યા જશે. તે પછી આ યુદ્ધમાં આપણે શું કરીશું ? તેથી આ વિચાર હૃદયમાં રાખજે. પછી તમારૂં વાંચ્છિત કાર્ય હું સિદ્ધ કરી આપીશ. તેમાં સંશય રાખશે નહીં. પ્રથમ સામંત રાજાઓના બળથી શત્રુઓને જીતી લે. વૈરી જીત્યા પછી તે બધા તમારે વશ થઈ જશે. મંત્રીનું આવું મનહર વચન સાંભળી અને પોતાના કાર્ય સિદ્ધિ વિછે તેવું વચન જાણ રાજા બે - મંત્રી ! ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust