________________ 194 સ્વામી ! આવું મન કેમ રાખે છે? પ્રથમની જેમ પોશાક કેમ પહેર્યો નથી ? મહારાજા ! આપની ચેષ્ટા પૂર્વના જેવી દેખાતી નથી. શું દુષ્ટ શત્રુ તે પીડા કરતું નથી ? મનમાં વૃથા ખેદ કરશે નહીં. હું ક્ષણ વારમાં તમારી આગળ એ દુછ શત્રુને જીતી લઇશ. હે વિભુ ! આપના મુખ ઉપર શત્રુના ભયથી ગ્લાનિ જોવામાં આવવાથી આપણું સુભટો પણ ચિંતામાં પડશે. મંત્રીનાં આવાં વચન સાંભળી મધુ રાજા બોલ્યો– મંત્રી ! સાંભળો. મારે શત્રુનું કાંઈ દુઃખ નથી. મંત્રી બે - મહારાજ ! ત્યારે એવું શું કારણ છે, કે જેથી તમે આવા, ચિંતાથી દુઃખી બની ગયા છો? મધુ રાજા બે મંત્રી ! મારે હેમરથ રાજની સ્ત્રીનું મહા દુઃખ થયું છે. એ રૂપ યૌવનવતી - મણીને જ્યારથી મેં જોયેલ છે, ત્યારથી મારું મન મદનથી પીડાય છે. રાજાનાં આવાં વચન સાંભળી મંત્રી બેલ્યો- સ્વામી ! આવું વિપરીત કેમ ચિંતવે છે ? એ કાર્ય નિંદિત અને ઉભય લોક વિરૂદ્ધ છે. આવું ચિંતવવાથી તમારું અપયશ થશે. તેથી તમારા સુભટનાં ચિત્ત વ્યગ્ર થઈ જશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust